અદાણી ગ્રુપે પોતાની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના 20,000 કરોડ રૂપિયાના ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) ને બુધવારે પાછો ખેંચ્યો હતો. ત્યારબાદ ગૌતમ અદાણીએ હવે પોતે જ સામે આવીને રોકાણકારોને સમજાવ્યું છે અને FPO ને પાછો ખેંચવાનું કારણ પણ જણાવ્યું છે. 20,000 કરોડ રૂપિયા માટે આ FPO 27 જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 31 જાન્યુઆરીએ ફૂલ સબસ્ક્રાઈબ થઈને ક્લોઝ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ પાછો ખેંચ્યો FPO?
ગૌતમ અદાણીએ કહ્યું કે સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ્ડ FPO ના મંગળવારે પાછા ખેંચવાના નિર્ણયે અનેક લોકોને ચોંકાવી દીધા હશે. પરંતુ કાલે બજારના ઉતાર ચ ડાવને જોતા બોર્ડે એ મહેસૂસ કર્યું કે એફપીઓ સાથે આગળ વધવું એ નૈતિક રીતે યોગ્ય નહીં રહે. 


અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે શેર બજારમાં હલચલ અને માર્કેટમાં ઉથલપાથલ જોતા કંપનીનો ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતોની રક્ષા કરવાનું છે. આથી અમે FPO થી પ્રાપ્ત રકમને પરત કરવા જઈ રહ્યા છીએ અને તે સંલગ્ન લેવડદેવડ ખતમ કરી રહ્યા છીએ. 


મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો; બજેટથી ધનિકોને ફાયદો, ઈન્કમટેક્સ 4 ટકા ઘટયો


અદાણી ગ્રુપની કંપનીના શેરમાં મોટો કડાકો, હિંડનબર્ગ બાદ ક્રેડિટ સુઇસે આપ્યો મોટો ઝટકો


અદાણી કરતા આગળ નીકળી ગયા અંબાણી, જાણો બંનેની સંપત્તિમાં કેટલું છે અંતર 


રોકાણકારોએ આપ્યો છે મારો સાથ
ગૌતમ અદાણીએ કહ્યું કે એક ઉદ્યમી તરીકે 4 દાયકાઓ કરતા વધુની મારી વિનમ્ર યાત્રામાં મને તમામ હિતધારકો ખાસ કરીને રોકાણકારો સમુદાયથી ભારે સમર્થન મળ્યું છે. મારા માટે એ સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે મારા જીવનમાં મે જે કઈ પણ થોડું ઘણું મેળવ્યું છે તે તેમના વિશ્વાસ અને ભરોસાના કારણે છે. હું મારી તમામ સફળતાઓનો શ્રેય તેમને જ આપું છું. 


શું હોય છે FPO?
ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) ને સેકન્ડરી ઓફરિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવી પ્રોસેસ છે જેના હેઠળ સ્ટોક એક્સચેન્જોમાં લિસ્ટ કંપની હાલના શેરધારકોની સાથે સાથે નવા રોકાણકારોને નવા શેર જારી કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube