Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે 21 એપ્રિલ 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જો તમે પણ સોના અને ચાંદીના દાગીના ખરીદવાનો પ્લાન ઘડી રહ્યા છો તો તમને આજે ફાયદો થઈ શકે છે. શરાફા બજારની સાથે સાથે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આવનારા સમયમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ તેજી આવવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવમાં આવેલી તેજીએ નવા રેકોર્ડ બનાવ્યા
ફેબ્રુઆરી મહિનામાં પણ સોના અને ચાંદીના ભાવ ગગડ્યા હતા. પરંતુ ત્યારબાદ ભાવમાં આવેલી તેજીએ નવા રેકોર્ડ બનાવ્યા. જાણકારો નજીકના ભવિષ્યમાં સોનાનો ભાવ 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 80,000 રૂપિયા પ્રતિ કિલો જવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. ગુરુવારે સોના અને ચાંદી બંનેમાં તેજી જોવા મળી હતી પરંતુ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. 


આવતી કાલે અક્ષયતૃતિયા
આવતી કાલે એટલે કે 22મી એપ્રિલે અક્ષય તૃતિયાનો તહેવાર છે. આ અવસરે સોનું ખરીદવું ખુબ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતિયા પર સોનું ખરીદવાનો સમય 22 એપ્રિલ 2023ના રોજ સવારે 7.49થી લઈને 23 એપ્રિલના રોજ સવારે 5.48 વાગ્યા સુધી રહેશે. જો તમે પણ સોનું ખરીદવા માંગતા હોવ તો એકવાર રેટ્સ ચેક કરી લેજો. 


આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ ગુરુવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 60616 હતો. જે  આજે 170 રૂપિયા ઘટીને 60446 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. 995 પ્યોરિટીવાળું સોનું 169 રૂપિયા ઘટીને 60204 પર પહોંચ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 155 રૂપિયા ઘટીને 55369 રૂપિયા પ્રતિ10 ગ્રામ પર પહોંચ્યું છે. જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 127 રૂપિયા ઘટીને 45335 ના સ્તરે પહોંચ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું સોનું 99 રૂપિયા તૂટીને 35361 રૂપિયા થયો છે. ચાંદીની વાત કરીએ તો 656 રૂપિયા તૂટીને 74763 રૂપિયા પ્રતિ કિલો ભાવ થયો છે. 



મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube