ભારતીય શરાફા બજારમાં આજે 10 માર્ચ 2023ના રોજ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે ચાંદીના ભાવમાં કડાકો છવાયેલો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) મુજબ ગુરુવારે સાંજે 24 કેરેટ સોનું 55286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું હતું. જ્યારે આજે સવારે 55607 રૂપિયાના સ્તરે પહોંચી ગયું. જ્યારે ચાંદીનો ભાવ 61557 રૂપિયે કિલોના ભાવે પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજનો લેટેસ્ટ ભાવ
અધિકૃત વેબસાઈટ ibjarates.com ના ભાવ મુજબ આજે 999 પ્યોરિટીવાળું શુદ્ધ સોનું 321 રૂપિયા વધીને 55607 રૂપિયે 10 ગ્રામ વેચાઈ રહ્યું છે. જ્યારે 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 320 રૂપિયા વધીને 55385ના સ્તરે છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 474 રૂપિયે 10 ગ્રામના સ્તરે છે. જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 240 રૂપિયા વધીને 41465 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. 585 પ્યોરિટીવાળું સોનું 187 રૂપિયા મોંઘુ થઈને 32530 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં એક કિલોએ 236 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલ ચાંદી 61557 રૂપિયાના સ્તરે જોવા મળી છે. 


મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 


હજુ તો માર્ચ શરૂ થયો ત્યાં રેકોર્ડબ્રેક ગરમી, તાપમાન 54 ડિગ્રી સેલ્સિયસને પાર


કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે શું અંતર? જાણો બંનેમાંથી કોણ વધુ જોખમી


કોર્ટે પતિને ફટકાર લગાવી, લગ્ન કર્યા છે તો પછીની જવાબદારીઓ ઉઠાવવા માટે પણ તૈયાર રહો


આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 


24, 22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 


ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube