નવી દિલ્હી: જો તમે કોઈ નાની કંપની ચલાવો છો અથવા કોઈ ધંધો કરો છો પરંતુ આજ સુધી તમે તમારી ITR ફાઇલ કરી નથી, તો પછી આવકવેરા વિભાગના આ હુકમને સમજો. હકીકતમાં, સરકારે ઓડિટની જરૂરિયાતવાળા ખાતાઓ માટે Income Tax Return (ITR) ભરવાની છેલ્લી તારીખ વધારવાની ના પાડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગળ નહીં વધે ITR ફાઇલ કરવાની તારીખ 
એટલે કે, જો કોઈ પેઢી અથવા વ્યવસાયના ખાતાનું ઓડિટ આવશ્યક છે અને તેણે રિટર્ન ફાઇલ (Return filing) કરી નથી, તો આવા કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાશે નહીં, તેઓએ 15 ફેબ્રુઆરી 2021 સુધી પોતાની ITR ફાઇલ કરવી પડશે. આવકવેરા વિભાગે ટ્વીટ દ્વારા આ સૂચના આપી છે.


આ પણ વાંચો:- આજે સોનાનો શું છે નવો ભાવ, જાણો માત્ર એક ક્લિક પર


ગુજરાત હાઇકોર્ટે આપ્યો હતો આદેશ
તમને જણાવી દઈએ કે ગુજરાત હાઇ કોર્ટે નાણાં મંત્રાલયને આ સમયમર્યાદામાં વધારો કરવા અંગે સ્પષ્ટ માહિતી આપવા આદેશ આપ્યો હતો. આ પછી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ આ માહિતી આપી છે. CBDTએ કહ્યું કે, ડ્યૂ ડેટ્સ વધારવાના તમામ અહેવાલો રદ કરવામાં આવે છે. જે કરદાતાઓના બાકી રકમ 1,00,000 કરતા વધુ નથી. તેના સેલ્ફ-અસેસમેન્ટ ટેક્સની ચુકવણીની નિયત તારીખ પણ તે જ છે, જે આઈટીઆર (ITR) ફાઇલ કરવાની તારીખ છે.


આ પણ વાંચો:- આચાર્ય બાલકૃષ્ણ અધધ...છે સંપત્તિના માલિક, અમીરોની યાદીમાં બાલકૃષ્ણ છે 18મા નંબરે


15 ફેબ્રુઆરી છે ITR માટેની છેલ્લી તારીખ
આવકવેરા વિભાગે 30 ડિસેમ્બર 2020થી વ્યક્તિગત Income Tax Return (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખને 31 ડિસેમ્બર 2020થી વધારી 10 જાન્યુઆરી 2021 કરી હતી, જે હવે પસાર થઈ ગઈ છે. જ્યારે ઓડિટના કેસો પરત કરવાની અંતિમ તારીખ 1 જાન્યુઆરીથી વધારીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. ત્યારે આ ત્રીજી વખત છે જ્યારે આવકવેરા વિભાગે અંતિમ તારીખ લંબાવી છે.


આ પણ વાંચો:- પાનકાર્ડ પરના એકાઉન્ટ નંબર પાછળ શું છે રહસ્ય?


આવા કરદાતા જેમને આંતરરાષ્ટ્રીય/ વિશિષ્ટ ડોમેસ્ટિક ટ્રાન્જેક્શનના કિસ્સામાં રિપોર્ટ આપવાની હોય છે. (જેના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી ડ્યૂ ડેટ 31 જાન્યુઆરી 2021 હતી), આકારણી વર્ષ 2020-21 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube