Cash Limit IT Dept Rule: કોઈ પણ ઈમરજન્સી માટે ઘરમાં રોકડ રૂપિયા રાખવા તે ભારતની જૂની પ્રથા રહી છે. બેંકો ગ્રાહકોને અનેક પ્રકારની સ્કીમ અને સુવિધા આપે છે. પરંતુ લોકો આકસ્મિક પરિસ્થિતિ માટે ઘરમાં રોકડ રૂપિયા તો રાખે જ છે. પરંતુ તમે ઘરમાં કેટલા રોકડ રૂપિયા રાખી શકો. રોકડ રૂપિયા રાખવા અંગે શું છે નિયમો અને કેટલી રકમ ઘરમાં હોય તો આવકવેરા વિભાગને જાણ કરવી જરૂરી છે.?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો તમે ઈચ્છો એટલી રોકડ રકમ ઘરમાં રાખી શકો છો. તેની માહિતી કોઈ પણ અધિકારીને આપવાની જરૂર નથી. પરંતુ તમારી પાસે જે રોકડ છે તેનો સોર્સ હોવો ખૂબ જ જરૂરી છે. તમારી પાસે કાયદેસર રીતે માન્ય સ્ત્રોત અને સંબંધિત દસ્તાવેજો વિશેની માહિતી હોવી જોઈએ. એટલે કે તમને પૈસા ક્યાંથી મળ્યા તેના તમારે સંબંધિત દસ્તાવેજો રાખવા પડશે. જો કોઈના ઘરમાં મોટી માત્રામાં રોકડ હોય અને આવકવેરા વિભાગ તે ઘરમાં દરોડા પાડે તો અધિકારીઓ આ દસ્તાવેજોની માંગણી કરે છે. અને જો તમારી પાસે દસ્તાવેજ ના હોય તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.


આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી


રોકડ ક્યાંથી આવી તેના દસ્તાવેજ રાખજો 
જો તમારા ઘરમાં રાખેલી રોકડ ટેક્સના દાયરામાં આવે છે તો તેના પર ટેક્સ ચૂકવવો જરૂરી છે. જો કોઈ વ્યક્તિ પાસે સ્ત્રોતો અને ટેક્સ ભરેલા તમામ દસ્તાવેજો નથી તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જો આવું થાય તો માત્ર આવકવેરા વિભાગ જ નહીં પરંતુ ED અને CBI પણ તમારી પૂછપરછ કરી શકે છે. જો કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.


આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા


નિયમ તોડશો તો શું થઈ શકે કાર્યવાહી?
તમારી પાસે રહેલી રોકડ અંગે આવકવેરા વિભાગ દરોડા પાડી પૂછપરછ કરે છે. તો તમારે તે રોકડ ક્યાંથી આવી તેના દસ્તાવેજી પૂરાવા આપવા પડે છે. પરંતુ જો તમારી પાસે દસ્તાવેજ નથી અથવા તમે રજૂ કરેલા દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળે તો તમારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં જે દંડ  ફટકારવામાં આવે તેની રકમ ખૂબ જ ઊંચી હોય છે. આવકવેરા કાયદા મુજબ તમારે તમારા ઘરમાં મળેલી રોકડ રકમના 137 ટકા દંડ તરીકે ચૂકવવા પડશે. આનો અર્થ એ છે કે તમારી પાસે જે રોકડ છે તે ચોક્કસપણે જશે. એટલું જ નહીં પણ તેના પર 37 ટકા વધુ રકમ દંડરૂપે ચૂકવવી પડશે.


આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો:  માન્યામાં નહીં આવે પણ સાચું છે,  પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube