Income Tax Exemption: રોકાણકારોની સામાન્ય રીતે બે કેટેગરી હોય છે. કેટલાક લોકો પૈસા કમાવવા માટે રોકાણ કરે છે અને કેટલાક ટેક્સ બચાવવા માટે રોકાણનો રસ્તો પસંદ કરે છે. જરૂરિયાત મુજબ બંને માટે અલગ-અલગ રોકાણ વિકલ્પો છે. પરંતુ, અમે તમને એવા રોકાણ વિકલ્પો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં પૈસા કમાવવાની સાથે ટેક્સ પણ બચાવી શકાય છે. આ સિંગલ સ્કીમમાં તમને 3 વખત ટેક્સ બચાવવાનો મોકો મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માતા-પિતાની સેવા કરવા માટે 72 લાખના પગારને લાત મારી, એપ્પલ છોડીને કરી રહ્યો છે ખેતી
દૂધ, માખણ અને પનીર કરતાં પણ વધુ તાકાતવર છે આ શાકભાજી, લોખંડ જેવા મજબૂત થશે હાડકાં


જોકે, કેટલાક રોકાણ વિકલ્પો છે જે EEE કેટેગરીમાં આવે છે. એટલે કે તેના પર ત્રણ વખત ટેક્સ છૂટ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે, રોકાણ કરતી વખતે, તમને આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ મળશે. ત્યારબાદ દર વર્ષે આ રોકાણ પર મળતું વ્યાજ પણ ટેક્સના દાયરાની બહાર થઈ જશે. એટલું જ નહીં, સ્કીમની પાકતી મુદત પછી મળેલી રકમ પર કોઈ આવકવેરો (Income Tax) લાગતો નથી.


PM Modi Caste: ગુજરાતમાં કેટલા છે મોઢ-ઘાંચી, અને ક્યાં-ક્યાં હોય છે આ જાતિ?
સસ્તામાં સોનું ખરીદવું હોય તો તૈયાર રાખજો રૂપિયા, આ તારીખથી શરૂ થશે સરકારની સ્કીમ


આ યોજના કેવી રીતે કરે છે કામ?
જો તમે 5 વર્ષની બેંક FD ખરીદો છો, તો તેના પર રોકાણ કરતી વખતે તમને ટેક્સમાં છૂટ મળે છે, પરંતુ જો વાર્ષિક વ્યાજ 40 હજાર રૂપિયાથી વધુ હોય તો તમારે તે વ્યાજ પર આવકવેરો ચૂકવવો પડશે. પરંતુ, જો તમે PPF, સુકન્યા અને ELSS જેવી યોજનાઓમાં નાણાંનું રોકાણ કરો છો, તો ત્રણ પ્રકારની ટેક્સ છૂટ આપવામાં આવે છે.


શ્રીલંકાઇ બેટ્સમેને મચાવ્યો આતંક, જયસૂર્યાથી માંડીને સચિન સુધી બધાના રેકોર્ડ ધ્વસ્ત
શિયાળામાં પણ વધુ આવી રહ્યું છે લાઇટ બિલ, તો કરો આ કામ, ચોક્કસ ઘટી જશે


PPF એકાઉન્ટ પર કેવી રીતે મળે છે છૂટ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રોકાણ કરનારાઓને ટ્રિપલ ટેક્સ મુક્તિનો લાભ મળે છે. આમાં રોકાણ કરેલ રૂ. 1.5 લાખ સુધીની રકમ ટેક્સ છૂટના દાયરાની બહાર છે. હાલમાં તેના પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ છે કે તમને એક વર્ષમાં 11,550 રૂપિયાનું વ્યાજ મળશે. આ રકમ પણ સંપૂર્ણપણે ટેક્સના દાયરાની બહાર હશે. આવતા વર્ષે રૂ. 1.5 લાખ ઉપરાંત તમને આ વ્યાજ પર 7.1 ટકા વ્યાજ પણ મળશે, એટલે કે, તે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ કામ કરશે. આ રીતે તમે મેચ્યોરિટી સુધી એક મોટું ફંડ એકઠું કરી કરશો. આ ફંડ પણ સંપૂર્ણપણે આવકવેરાના દાયરાની બહાર રહેશે.


આ Maruti કારે બધાને ચટાડી ધૂળ, સૌથી વધુ વેચાઇ, કિંમત 6.66 લાખ
જો જવાનીમાં જ આવી ગયા હોય ધોળા તો અપનાવો દેશી ઉપચાય, કાળા ભમ્મર થઇ જશે વાળ


ELSS પર વ્યાજ પણ વધારે
જો આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરીએ, તો ELSS એ એકમાત્ર ફંડ છે જે EEE કેટેગરીમાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીના રોકાણ પર પણ ટેક્સ છૂટ મળે છે. ELSS એ 21 ટકા સુધીનું વાર્ષિક વળતર આપ્યું છે. આ વ્યાજ પણ સંપૂર્ણપણે ટેક્સના દાયરાની બહાર રહે છે. લોક-ઇન પિરિયડ પણ માત્ર 3 વર્ષનો છે અને મેચ્યોરિટી પર તમને જે રકમ મળે છે તે પણ આવકવેરાના દાયરાની બહાર છે. આનો અર્થ એ છે કે તમને સમાન યોજનામાં 3 વખત આવકવેરામાં છૂટ મળે છે.


લગ્ન કરશો તો મળશે 10 લાખ રૂપિયા, આ યોજના વિશે નહી જાણતા હોવ તમે
શરીરને હાડપિંજર બનાવી દેશે 5 પોષકતત્વોની ઉણપ, આ રીતે ઓળખો લક્ષણો