નવી દિલ્હીઃ IRCTC પરથી ઈ-ટિકિટ ખરીદવાનું મોંઘુ થશે. એક આદેશ મુજબ ભારતીય રેલવેએ એક સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આઈઆરસીટીસી તરફથી 30 ઓગસ્ટે જાહેર કરાયેલા આદેશ પ્રમાણે હવે આઈઆરસીટીસી બિન વાતાનુકુલિત શ્રેણીની ઈ-ટિકિટ પર 15 રૂપિયા અને પ્રથમ શ્રેણી સહિત વાતાનુકૂલિત શ્રેણીની તમામ ઈ-ટિકિટ પર 30 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસુલ કરશે. જીએસટી તેનાથી અલગ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે બંધ થયો હતો સર્વિસ ચાર્જ
મહત્વનું છે કે ત્રણ વર્ષ પહેલા મોદી સરકારે ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે સર્વિસ ચાર્જ પરત લીધો હતો. પહેલા આઈઆરસીટીસી બિન વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકિટો પર 20 રૂપિયા અને તમામ વાતાનુકૂલિત શ્રેણીની ઈ-ટિકિટ પર 30 રૂપિયાનો સર્વિસ ચાર્જ લેતું હતું. 


આ મહિનાની શરૂઆતમાં રેલવે બોર્ડે ભારતીય રેલવે ખાનપાન તથા પર્યટન નિગમ (આઈઆરસીટીસી)ને ઓનલાઇન ટિકિટ પર યાત્રિકો પાસેથી સર્વિસ ટેક્ટ વસૂલવાની મંજૂરી આપી હતી. 30 ઓગસ્ટે જાહેર કરવામાં આવેલા પત્રમાં બોર્ડે કર્યું કે, આઈઆરસીટીસીએ ઈ-ટિકિટ બુકિંગ પર સર્વિસ ટેક્સને ફરી શરૂ કરવાની વિસ્તૃત યોજના બનાવી છે અને મામલાની તપાસ સમશ્ર અધિકારી દ્વારા કરવામાં આવી છે. 


રેવન્યૂમાં આવ્યો હતો 26 ટકાનો ઘટાડો
પત્રમાં આગળ કહેવામાં આવ્યું છે કે, નાણા મંત્રાલયે કહ્યું હતું કે, સર્વિસ ચાર્જ માફ કરવાની યોજના અસ્થાયી છે અને રેલ મંત્રાલય ઈ-ટિકિટ પર ચાર્જ લેવાનું ગમે ત્યારે શરૂ કરી શકે છે. અધિકારીઓનું કહેવાનું છે કે, સર્વિસ ચાર્જ બંધ કર્યાં બાદ આઈઆરસીટીસીને નાણાકિય વર્ષ 2016-17મા ઇન્ટરનેટ ટિકિટ રેવન્યૂ પર 26 ટકાનો ઘટાડો થયો હતો.  


વાંચો બિઝનેસના અન્ય સમાચાર