નવી દિલ્હી : જો તમારું એકાઉન્ટ એસબીઆઇ (SBI)માં હોય તો આ સમાચાર તમને ખુશ કરી દેશે. એસબીઆઇએ પોતાના કરોડો ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી છે. બેંક તરફથી શરૂ કરવામાં આવેલી આ સુવિધામાં સૌથી વધારે ફાયદો નેટબેન્કિંગનો ઉપયોગ કરતા ગ્રાહકોને મળશે. આ સુવિધાથી તમે નેટ બેન્કિંગથી ગણતરીની મિનિટોમાં બેલેન્સ ટ્રાન્સફર કરી શકશો. બેંકની આ સુવિધા 21 જુલાઈથી શરૂ થઈ જશે. 


બેંકે પોતાની આ સુવિધાનું નામ 'ક્વિક ટ્રાન્સફર' રાખ્યું છે. આ સુવિધાથી તમે કોઈપણ વ્યક્તિને ઓનલાઇન પૈસા મોકલતા હો તો એની વિગતો બેનિફિશિયરીમાં એડ કરવાની જરૂર નથી. તમે આ વિગતો ભર્યા વગર એક વખતમાં 10 હજાર રૂ. તેમજ એક દિવસમાં 25 હજાર રૂ. સુધી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...