નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે એક જૂનથી દેશમાં 'વન નેશન વન રેશન કાર્ડ' (One Nation One Ration Card)ને લાગૂ કરવામાં આવી રહ્યું છે. તેની શરૂઆત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી થશે. આ યોજના હેઠળ દેશના ગરીબોને સસ્તા ભાવે રાશન મળશે. નાણામંત્રી નિર્મલા સીતારમન (Finance Minister Nirmala Sitharaman)એ આત્મનિર્ભર રાહત પેકેજ (Self-reliant relief package)ની જાહેરાત દરમિયાન તેનો ઉલ્લેખ કર્યો હતો. આ લાગૂ થયા બાદ રેશન કાર્ડનો ફાયદો દેશના ગમે તે ખુણામાં ઉઠાવી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્તમાનમાં શું છે નિયમ?
રેશન કાર્ડનો વર્તમાન નિયમ છે કે તમારૂ રેશન કાર્ડ જે જિલ્લામાં બનેલું છે, તે જિલ્લામાં રાશન મળી શકે છે. જિલ્લો બદલવા પર તેનો ફાયદો મળતો નથી. કોરોના સંકટના સમયમાં ગરીબો સુધી રાહત પહોંચાડવા આ નિયમને કારણે મોટો પડકાર હતો. તેથી સરકારે કહ્યું કે, રેશન કાર્ડ ન હોવા પર પણ તેનો ફાયદો મળશે. 


સસ્તી કિંમતે મળે છે અનાજ
રાશન કાર્ડનો ફાયદો BPL (ગરીબી રેખાની નીચે) કાર્ડધારકોને મળે છે. આ હેઠળ તેને સસ્તી કિંમત પર અનાજ મળે છે. વન નેશન, વન રેશનકાર્ડ લાગૂ થયા બાદ ગરીબી રેખા નીચે આવનારા લોકો સસ્તી કિંમત પર દેશના કોઈપણ ખુણામાંથી રાશન ખરીદી શકે છે. 


ભારતમાં કોરોનાએ ચિંતા વધારી, 8000+ નવા કેસ, 3 દિવસમાં 25 હજારથી વધુ


PDS લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે
આ યોજના હેઠળ PDS લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે અને તેના આધાર કાર્ડ પર ઇલેક્ટ્રિક પોઈન્ટ ઓફ સેલ  (Pos)થી યોજનાનો લાભ આપી શકાશે. આ યોજનાને લાગૂ કરવા માટે સરકારે દેશની તમામ રાશન દુકાનો પર પીડીએસ મશીનો લગાવ્યા છે. આ યોજનાનાનો રાજ્યમાં વિસ્તાર કરવામાં આવશે. આ સ્કીમથી હાલ 67 કરોડ લોકોને ફાયદો મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર