નવી દિલ્હીઃ પીએમ મોદીના આહ્વાન બાદ આત્મનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવામાં રેલવે લાગી ગયું છે. રેલવે તરફથી ઘણા ઇનહાઉસ ઇનોવેશન કરવામાં આવ્યા છે. તેમાં એલર્ટ કરવા માટે બેલથી લઈને કોચની અંદર સીસીટીવી જેવા કુલ 20 ઇનોવેશન (Railway 20 new innovations) કરવામાં આવ્યા છે. તેની જાણકારી ખુદ રેલવે મંત્રી પીષૂય ગોયલે એક ટ્વીટ કરીને આપી છે. તેમણે તેનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલર્ટ બેલની વ્યવસ્થા
રેલવેના ઇનોવેશનમાં એલર્ટ બેલ પણ સામેલ છે. ટ્રેન રવાના થતાં પહેલા યાત્રિકોને એલર્ટ કરવા માટે બેલ વાગશે. એટલે કે જો કોઈ યાત્રિ પાણી લેવા કે કંઇ ખાવાનો સામાન લેવા માટે ટ્રેનથી ઉતર્યો છે તો ત્યારે તેને જાણ થઈ જશે કે ટ્રેન શરૂ થવાની છે અને તે ટ્રેનમાં ચઢી જશે. તેનાથી લોકોની ટ્રેન છૂટવાની આશંકા ઓછી થઈ જશે. 


દરેક કોચમાં હશે સીસીટીવી
રેલવેમાં ગમે ત્યારે કોચની અંદર મારપીટ, ચોરી કે લૂટ જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. તેનો સામનો કરવા માટે રેલવેએ કોચની અંદર સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. શરૂઆત થઈ ચુકી છે અને તેનાથી ટ્રેનમાં થતી ચોરી અને મારપીટ જેવી ઘટનાઓ ઝડપથી ઓછી થઈ જશે. 


ચીનને મોટો ઝટકો આપવાની તૈયારીમાં રેલવે! ખરીદ પ્રક્રિયામાં થશે ફેરફાર

આવા છે કુલ 20 ઇનોવેશન
રેલવેએ આવા એક બે નહીં, પરંતુ 20 ઇનોવેશન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં યાત્રિકોની સુરક્ષા વધારી શકા અને તેને સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. ઇનોવેશન હેઠળ અલ્હાબાદ રેલવે સ્ટેશન પર એર ક્વોલિટીની જાણકારી આપનાર એર ક્વોલિટી ઇક્વિપ્મેન્ટ લગાવવામાં આવ્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube