નવી દિલ્હી: રેલવે મંત્રી પીયૂષ ગોયલ (Rail Minister Piyush Goyal)એ જનતાને ભાવુક અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે લોકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં બહુ જરૂરી હોય તો જ મુસાફરી કરે. આ સાથે જ તેમણે લોકોને તેમની સુરક્ષાનું પણ આશ્વાસન આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીયૂષ ગોયલે એક ટ્વીટમાં લખ્યું કે, "મારી તમામ નાગરિકોને અપીલ છે કે ગંભીર રોગથી પીડાતા, ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી ઓછી ઉંમરના લોકો શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં ખુબ જરૂરી હોય તો જ મુસાફરી કરે. રેલવે પરિવાર મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે."


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube