નવી દિલ્હી: આરબીઆઇ ગર્વનર શકિકાંત દાસ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. ટ્વીટ દ્વારા ગર્વનરએ લખ્યું કે તે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. લક્ષણ દેખાઇ રહ્યા નથી. પોતે સારું અનુભવી રહ્યો છું. ગર્વનરએ લખ્યું કે તેમણે તે તમામને સૂચિત કરી દીધા છે જે નજીકના દિવસોમાં તેમના સંપર્કમાં આવ્યા હતા. ગર્વનરએ આ જાણકારી આપી કે તે એકાંતમાં રહીને કામ ચાલુ રાખશે અને રિઝર્વ બેંકમાં કામકાજ સામાન્ય રીતે થતું રહેશે.
 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube