Bank Locker Charges: હાલમાં બેંકના લોકર એ સામાન્ય બાબત છે. આ સમાચાર નોઈડાથી આવ્યા છે. નોઈડાના રહેવાસી રિતિક સિંઘલનું HDFC બેંક, સેક્ટર 121 બ્રાન્ચમાં ખાતું છે. જ્યાં તેમણે લોકર પણ લીધું છે. આ લોકરમાં તેમની પત્નીના લગભગ 30 લાખ રૂપિયાના દાગીના રાખવામાં આવ્યા હતા. છેલ્લે ફેબ્રુઆરી 2020માં કોરોના લોકડાઉન પહેલા લોકર ઓપરેટ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ જ્યારે તેમણે બ્રાન્ચમાં જઈને લોકર ખોલ્યું તો તે ચોંકી ગયા હતા. લોકરમાંથી દાગીના ગાયબ હતા. બ્રાન્ચ મેનેજરે આ ઘટના બાબતે અજાણ હોવાનું જણાવતાં તેમણે પોલીસમાં FIR કરાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃતિક સિંઘલ સાથે જે થયું તે તમારી સાથે પણ થઈ શકે છે. અહીં સવાલ એ થાય છે કે જ્યારે બેંકના લોકરમાંથી દાગીના ગુમ થાય છે ત્યારે બેંકની કેટલી જવાબદારી છે? જો બેંકના લોકરમાંથી દાગીના ગુમ થઈ જાય, તો નુકસાન તમારું છે કે બેંકનું? અમે તમને આ પ્રશ્નોના જવાબો જણાવીએ છીએ.


Tips: બેડોળ બોડીને આ રીતે બનાવો સ્લીમ એન્ડ ટ્રીમ, દિપીકા પાદુકોણ જેવું બની જશે ફિગર
AC નું બિલ અઠવાડિયા ઓછું કરી દેશે આ 5 ટિપ્સ, 20 થી 30 ટકા ઓછી વપરાશે વિજળી
Hotels: હોટલોમાં નથી હોતો 13મો માળ કે 13 નંબરનો રૂમ, જાણી લેશો આ કારણ તો ફફડી જશો


રિતિક સિંઘલ સાથે શું થયું
નોઈડાના રહેવાસી રિતિક સિંઘલનું HDFC બેંક, સેક્ટર 121 બ્રાન્ચમાં ખાતું છે. સાથે જ તેમણે લોકર પણ ભાડે રાખ્યું છે. આ લોકરમાં તેમની પત્નીના લગભગ 30 લાખ રૂપિયાના દાગીના રાખવામાં આવ્યા હતા. 


લોકરનો ઉપયોગ વધી રહ્યો છે
પહેલા સામાન્ય માણસ પાસે બેંકમાં લોકર નહોતું. માત્ર શ્રીમંત અને મધ્યમ વર્ગ જ તેની સેવા લેતો હતો. પરંતુ હવે સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરવા લાગ્યો છે. કોઈપણ રીતે, ચોરીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, લોકો બેંક લોકર ભાડે લે છે અને તેમાં તેમના ઘરેણાં અને કિંમતી વસ્તુઓ રાખે છે. પરંતુ જો બેંકના લોકરમાંથી પણ તમારો કિંમતી સામાન ચોરાઈ જાય છે, તો નિયમો અનુસાર તેના માટે બેંક જવાબદાર નથી. કારણ કે તે બેંક લોકરમાં રાખેલા સામાન માટે સંપૂર્ણ રીતે જવાબદાર નથી. ચોક્કસ સંજોગોમાં, બેંક તમારા સામાનના નુકશાન માટે વળતર આપે છે. આવો જાણીએ લોકરમાં રાખેલા સામાનને લઈને બેંકનો શું નિયમ છે?


પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી


લોકર એટલે ભાડાનું ઘર
જ્યારે તમે બેંકમાંથી લોકર લો છો, ત્યારે તમારી અને બેંક વચ્ચે બેંક અને ગ્રાહકનો કોઈ સંબંધ નથી હોતો. આ સંબંધ મકાનમાલિક અને ભાડૂઆત જેવો છે. જે રીતે મકાનમાલિક પોતાનું મકાન ભાડે આપે છે, પરંતુ ભાડુઆતના સામાનની કોઈ જવાબદારી નથી. એ જ રીતે, બેંક પોતાનું લોકર ભાડે આપે છે, પરંતુ તેમાં રાખેલો સામાન માટે બેંક જવાબદારી નથી.


Petrol Pump પર 2000 ની નોટ કાઢી તો પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇકમાંથી પાછું કાઢી લીધું! 
અજુગતું પણ સાચું છે, નો ડાયટ નો વર્ક આઉટ, આ રીતે ઉંઘશો તો આપોઆપ ઘટી જશે વજન
ત્રીસી વટાવી ચૂકેલી મહિલાઓ ભૂલ્યા વિના કરાવી લે આ 10 ટેસ્ટ, પાણી પહેલાં પાળ જરૂરી
ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, ન્હાવાથી માંડીને ખાવા સુધી અપનાવો આ 3 ટિપ્સ


બેંક લોકર લેનાર સાથે કરાર કરે છે
જો તમે બેંકમાંથી લોકર લો છો તો બેંક અને લોકર લેનાર વ્યક્તિ વચ્ચે કરાર થાય છે. તે સ્પષ્ટપણે જણાવે છે કે વરસાદ, આગ, ધરતીકંપ, પૂર, વીજળી પડવી, નાગરિક બબાલ, યુદ્ધ, રમખાણો વગેરે અથવા બેંકના નિયંત્રણ બહારના અન્ય કોઈપણ કારણોસર બેંક તમારા લોકરમાં રાખેલા સામાન માટે જવાબદાર રહેશે નહીં. આ કરારમાં એવું પણ લખવામાં આવ્યું છે કે બેંક તમારા સામાનની સલામતી માટે ખૂબ કાળજી લેશે અને વધુ સારી વ્યવસ્થા કરશે, પરંતુ લોકરમાં રાખવામાં આવેલા સામાન માટે બેંક જવાબદાર રહેશે નહીં.


2 દુશ્મન ગ્રહોના 'મહાગોચર' થી આ લોકોને થશે ધનલાભ, મળશે છપ્પરફાડ પૈસા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત


શું કહે છે રિઝર્વ બેંકનો નિયમ
બેંક લોકરમાં રહેલા સામાનની સુરક્ષાને લઈને ઘણા સમાચાર છે. આ મામલો રિઝર્વ બેંક સુધી પણ પહોંચ્યો છે. આ પછી આરબીઆઈએ આ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે. આ નિયમો જાન્યુઆરી 2022થી અમલમાં આવ્યા છે. આ નિયમ અનુસાર, બેંકો એમ કહી શકતી નથી કે તેઓ લોકરની સામગ્રી માટે જવાબદાર નથી. ચોરી, છેતરપિંડી, આગ કે મકાન ધરાશાયી થવાના કિસ્સામાં બેંકની જવાબદારી લોકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીની રહેશે. આ સિવાય બેંકે લોકરની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવા પડશે. જ્યારે પણ ગ્રાહક તેના લોકરને એક્સેસ કરશે ત્યારે ગ્રાહકને બેંક દ્વારા ઈ-મેલ અને SMS દ્વારા એલર્ટ કરવામાં આવશે. હવે લોકર રૂમમાં આવતા-જતા લોકો પર સીસીટીવી દ્વારા નજર રાખવાની જરૂર છે. તેમજ સીસીટીવી ફૂટેજ 180 દિવસ સુધી રાખવાના રહેશે. જો કોઈ ઘટનામાં એવું સાબિત થાય છે કે લોકરની સામગ્રીની ખોટ બેંક સ્ટાફની મિલીભગત અથવા સુરક્ષા વ્યવસ્થાની બેદરકારીને કારણે થઈ છે, તો તેના માટે બેંક જવાબદાર છે.


શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube