Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વ્યાજ દર નક્કી કરતી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકના પરિણામ આજે આવશે. MPC મીટિંગના પરિણામો વિશે માહિતી RBI ગવર્નર શક્તિકાંત દાસ આપશે. સૂત્રોનો દાવો છે કે આ વખતે પણ RBI તરફથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. જો આ વખતે રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવે તો તે 6.75 ટકાના સ્તરે પહોંચી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોમ લોનની EMI વધશે
નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે આ સાથે મે 2022થી શરૂ થયેલી વ્યાજ દરમાં વધારો કરવાની પ્રક્રિયા હવે બંધ થઈ જશે. મેથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 2.5 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન રેપો રેટ 4 ટકાથી વધીને 6.5 ટકા થઈ ગયો છે. આ ચાર વર્ષની સર્વોચ્ચ સપાટી છે. રેપો રેટ વધારવાની અસર વ્યાજદર પર પણ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે રેપો રેટમાં વધારાને કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન જેવી તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે.


​આ પણ વાંચો: Hanuman Jayanti: હનુમાન જયંતિ પર કરો આ 5 અચૂક ઉપાય, જિંદગીમાંથી સંકટો થઈ જશે સાફ
​આ પણ વાંચો: હનુમાન જયંતિ પર આ 5 રાશિઓ પર રહેશે મહેરબાન, પરેશાનીઓ થશે દૂર અને અપાર ધન થશે પ્રાપ્ત
​આ પણ વાંચો: રાશિફળ 06 એપ્રિલ: આ રાશિના જાતકોને થશે લાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ


આજે પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત
નાણાકીય વર્ષ 2023-24ની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવશે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવી રહ્યો છે. નાણા મંત્રાલયના અધિકારીઓ માને છે કે રિઝર્વ બેંક (RBI) એ ફુગાવાને 2-6 ટકાના દાયરામાં લાવવાને પ્રાથમિકતા આપવી જોઈએ, પછી ભલે તેની આર્થિક વૃદ્ધિ પર પ્રતિકૂળ અસર પડે. મોંઘવારી નિયંત્રણમાં લાવવા માટે વ્યાજ દર વધારવો પડશે.


​આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો


મોંઘવારી હજુ પણ ઉચ્ચ સ્તરે
એક વરિષ્ઠ અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું હતું કે મધ્યસ્થ બેન્કે ફુગાવો 6 ટકાથી નીચે ન પહોંચે ત્યાં સુધી તેની સામે લડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભલે તે વિકાસ દરને અસર કરે. તેમણે કહ્યું કે મોંઘવારી હજુ પણ ઊંચા સ્તરે છે, જે ઓછી આવક ધરાવતા લોકોને અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર નજીવો ઘટીને 6.44 ટકા પર આવી ગયો હતો. અગાઉ જાન્યુઆરીમાં તે 6.52 ટકા હતો.


શું અસર થશે?
નિષ્ણાતોનું કહેવું છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારાની અસર બેંકોના વ્યાજ દર પર પડશે. બેંકો લોન પરના વ્યાજ દર અને FD પર ઉપલબ્ધ વ્યાજ દરમાં વધારો કરી શકે છે. તેનાથી ગ્રાહકોની હોમ લોનની EMI વધશે. આ સિવાય મોંઘવારી સાથે વિકાસ દરમાં પણ ઘટાડો થઈ શકે છે.


રેપો રેટ શું છે?
RBI દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ વધારવાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી મોંઘા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરેના વ્યાજ દરમાં વધારો થશે, જેની સીધી અસર તમારી EMI પર પડશે.


​આ પણ વાંચો: જો તમે નાકના વાળ તોડતા હો તો બની જજો સાવધાન! આ આદત તમારા મગજને પહોંચાડશે નુકસાન
​આ પણ વાંચો: વિનોદ ખન્નાએ બધાની સામે ડિમ્પલના જબરદસ્તી હોઠને ચૂસી લીધા હતા, બધા રહી ગયા હતા દંગ 
આ પણ વાંચો: Car Care Tips: Ohh No! પેટ્રોલની જગ્યાએ ડીઝલ ભરાઈ ગયું છે, તો પહેલાં કરો આ કામ
આ પણ વાંચો: વ્યક્તિએ મોબાઈલમાં કંઈક એવું ટાઈપ કર્યું કે નીકળવા લાગ્યો  ધુમાડો! જોઈ લો આ વીડિયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube