ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC) ની બેઠકના પરિણામોની જાહેરાત કરાઈ છે. ગવર્નર શક્તિકાંત દાસે 8 ઓગસ્ટથી શરૂ થયેલી 6 સભ્યોની એમપીસી બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ વખતે પણ રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી એટલે કે યથાવત રાખવામાં આવ્યો છે. જેનો અર્થ એ થયો કે રેપો રેટ 6.5 ટકા જ રહેશે અને હોમ લોન કે ઓટો લોનવાળા પર ઈએમઆઈનો બોજ વધશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપોરેટમાં કોઈ ફેરફાર ન કર્યા હોવાની જાહેરાત કરી તેની સાથે સાથે એવો દાવો પણ કર્યો કે ભારત યોગ્ય ટ્રેક પર આગળ વધી રહ્યું છે અને આવનારા સમયમાં તે દુનિયાનું ગ્રોથ એન્જિન બનશે. તેમણે કહ્યું કે આપણે દુનિયાની 5મી સૌથી મોટી ઈકોનોમી છીએ અને આપણી ઈકોનોમીમાં સતત ગ્રોથ ચાલુ છે. ભારત માટે હાલ ગ્લોબલ ઈકોનોમીમાં થઈ રહેલા ફેરફારનો ફાયદો ઉઠાવવા માટે સૌથી સારી સ્થિતિ છે. વૈશ્વિક વિકાસમાં ભારતીય અર્થવ્યવસ્થા લગભગ 15 ટકા યોગદાન આપે છે. 


ફેબ્રુઆરી મહિનાથી રેપોરેટમાં ફેરફાર નથી
દેશમાં મોંઘવારીના ઊચ્ચ સ્તરે પહોંચ્યા બાદ તેને નિર્ધારિત દાયરામાં પાછી લાવવા માટે રિઝર્વ બેંકે મે 2022 બાદથી સતત નવ વખત રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. આ સમયગાળામાં આ દર 250 બેસિસ પોઈન્ટ વધારવામાં આવ્યો હતો. જો કે મોંઘવારી પર કંટ્રોલ સાથે જ કેન્દ્રીય બેંકે તેમાં વધારા પર બ્રેક લગાવી દીધો અને ફેબ્રુઆરી 2023 બાદથી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. એક્સપર્ટ્સ પણ એવી આશા રાખી રહ્યા હતા કે RBI રેપો રેટને સ્થિર રાખી શકે છે. આ અગાઉ એપ્રિલ અને જૂનમાં થયેલી બેઠકમાં પણ આ દરને સ્થિર રાખવામાં આવ્યા હતા. રિઝર્વ બેંકે રેપો રેટને સ્થિર રાખવાની સાથે જ આરબીઆઈએ એમએસએફ, બેંક રેટ 6.75 ટકા, જ્યારે એસડીએફ રેટને 6,25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube