નવી દિલ્હી: Revised ITR Filing Rules: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) આજે સંસદમાં બજેટ 2022 (Budget 2022) રજૂ કર્યું. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું હતું કે કરદાતાઓને બે વર્ષ માટે રિવાઇઝ્ડ ITR ફાઇલ કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે તમામ કરદાતાઓને તેનો લાભ મળશે. ખરેખર, આનો લાભ લેવા માટે સરકારે કેટલીક શરતો લાદી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું, 'જો કોઈ કારણોસર ITRમાં ભૂલ થઈ હોય અથવા ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ ગયા હોય, તો કરદાતાઓ આગામી બે નાણાકીય વર્ષ માટે સુધારેલા આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકે છે. આ હેઠળ, તેઓએ ટેક્સ પર વ્યાજ તરીકે વધારાના 25 થી 50 ટકા ચૂકવવા પડશે. તેનો લાભ આવા વ્યક્તિગત કરદાતાઓને મળવાનો હતો જે સમયમર્યાદા ચૂકી ગયા હતા. પરંતુ તમે જાણી લો કે રિવાઇઝ્ડ ITR સંબંધિત શરતો વિના તમને તેનો લાભ નહીં મળે.

Union Budget 2022: દેશની પ્રથમ ડિજિટલ યૂનિવર્સિટીની થઇ જાહેરાત, નોકરીની તકો માટે લોન્ચ થશે પોર્ટલ


ક્યારે તમે ફાઇલ કરી શકતા નથી રિવાઇઝ્ડ ITR 
-  જો કરદાતાની આવક ખોટમાં હોય, તો તે રિવાઇઝ્ડ ITR ફાઇલ કરી શકતો નથી.
-  જો કરદાતાની કર જવાબદારી પહેલા કરતા ઓછી હોય તો પણ આ સુવિધા ઉપલબ્ધ થશે નહીં.
- સંશોધિત ITRમાં જો કરદાતાનું રિફંડ વધી રહ્યું હોય તો પણ તેને આ સુવિધા નહીં મળે.
-  જો આવકવેરા વિભાગે કરદાતા સામે તપાસ શરૂ કરી છે, તો તેને નવી સુવિધા મળશે નહીં.
-  જો આવકવેરાના દરોડા અથવા અન્ય સર્ચમાં કરદાતાનું નામ બહાર આવ્યું છે, તો તેને રિવાઇઝ્ડ ITRનો લાભ નહીં મળે.


કરદાતાઓ મળી નિરાશા
ઉલ્લેખનીય છે કે કરદાતાઓએ મહામારી દરમિયાન ઘરેથી કામ (WFH) ના કારણે વધેલા ખર્ચ પર કર મુક્તિ મેળવવાની અપેક્ષા રાખી હતી, પરંતુ તેમને નિરાશા હાથ લાગી છે. આ ઉપરાંત, તેમણે એવી પણ આશા વ્યક્ત કરી હતી કે સરકાર નવા ટેક્સ સ્લેબમાં હોમ લોન પર ટેક્સ છૂટનો સમાવેશ કરશે. પરંતુ અહીં પણ તેમને કોઈ સારા સમાચાર મળ્યા નથી. હાલમાં, હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર આવકવેરાની કલમ 24B હેઠળ રૂ. 2 લાખ અને 80C હેઠળ રૂ. 1.5 લાખની કર મુક્તિ આપવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube