નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને રાહત આપતા મિનિમમ બેલેન્સ ચાર્જની ઝંઝટમાંથી મુક્તિ આપી છે. તેનો અર્થ છે કે હવે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના સેવિંગ એકાઉન્ટ ધારકોને મિનિમમ બેલેન્સ ચાર્જ આપવો પડશે નહીં. હવે બેન્કના ગ્રાહકો એકાઉન્ટમાં પોતાના હિસાબથી બેલેન્સ રાખી શકશે. બેન્ક તરફથી તેના પર કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં. આ સિવાય બેન્કે એસએમએસ ચાર્જ પણ માફ કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે લાંબા સમયથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મિનિમમ બેલેન્સ ચાર્જ વસુલવાને લઈને ટીકા થઈ રહી હતી. મહત્વનું છે કે બેન્કના આ નિર્ણયથી 40 કરોડથી વધુ ખાતાધારકોને ફાયદો મળવાની આશા છે. 


6 રૂપિયા/લીટર સસ્તુ થઇ શકે છે પેટ્રોલ, રૂસ-સાઉદીની 'લડાઇ'નો મળશે ફાયદો


જો તમે તેને મેન્ટેન ન કર્યું હોય તો 5 રૂપિયાથી 15 રૂપિયા સુધી પેનલ્ટી લગાવવામાં આવતી હતી. આ પેનલ્ટીમાં ટેક્સ પણ જોડાતો હતો. એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર પ્રમાણે નવી જાહેરાત બાદ ગ્રાહકોનો વિશ્વાસ વધશે. તેમણે કહ્યું કે, મિનિમમ બેલેન્સ ચાર્જને સમાપ્ત કરવો બેન્કનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ ગ્રાહકોના વધુ સુવિધાનજક અને સારા બેન્કિંગ અનુભવ માટે ભરવામાં આવ્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બિઝનેસના અન્ય સમાચાર