નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યાં છે. 9 જૂન રવિવારે સાંજે શપથ ગ્રહણ સમારોહ છે. મોદી રવિવારે સાંજે 7.15 કલાકે દેશનજા પીએમ તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ત્રીજીવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે તો લોકો મોદીની ગેરંટીને પણ યાદ કરશે. ચૂંટણી પહેલા ઘોષણાપત્રમાં ભાજપે આયુષ્ડમાન ભારત યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે સંસદીય દળની બેઠકમાં બોલવા સમયે પીએમ મોદીએ પોતાની ગેરંટીઓ ગણાવતા ત્રીજા કાર્યકાળમાં 70 વર્ષથી મોટી ઉંમરના લોકોને 5 લાખ સુધીની ફ્રી સારવારની વ્યવસ્થા અપાવવાની વાત કરી હતી. આવો તમને આ સ્કીમ વિશે જણાવીએ..


જાણો શું છે આયુષ્માન ભારત યોજના
આયુષ્માન ભારત યોજનાનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) છે. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની સુવિધા મળે છે. તેમાં દવાનો ખર્ચ, ઓપરેશનનો ખર્ચ વગેરે સામેલ છે. આ સ્કીમ સ્વાસ્થ્ય મંત્રાલય ચલાવે છે. અત્યાર સુધી યોજનાનો લાભ બીપીએલ શ્રેણી અંતર્ગત આવનાર નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો. પરંતુ વરિષ્ઠ નાગરિકો પણ આ યોજના હેઠળ આવી જાય તો તેને મોટો ફાયદો મળશે. 


આ પણ વાંચોઃ 10 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ IPO, પ્રાઇઝ  ₹93, જાણો GMP


લાભ લેવા માટે આ રીતે કરાવવું પડશે રજીસ્ટ્રેશન
જે લોકો આ યોજના હેઠળ આવે છે, તે તેનો ફાયદો લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કારવવાનું હોય છે. રજીસ્ટ્રેશન માટે તમારે તમારા નજીકના અટલ સેવા કેન્દ્ર કે જન સેવા કેન્દ્રમાં જવું પડશે. તમારે ત્યાં તમારા તમામ દસ્તાવેજ આપવા પડશે. ત્યારબાદ સેવા કેન્દ્ર તરફથી તેની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તમને રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. રજીસ્ટ્રેશનના 10થી 15 દિવસ બાદ તમને જનસેવા કેન્દ્ર દ્વારા ગોલ્ડન કાર્ડ મળશે. ત્યારબાદ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.