નવી દિલ્હી: ઉડ્ડયન સલામતી નિયમનકારએ બુધવારે કહ્યું કે એરપોર્ટ પર કેન્દ્રીય ઇંડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના કર્મી વિમાનમાં સવાર થતાં પહેલાં તમાસ દરમિયાન કોઇપણ યાત્રીના બોર્ડિંગ પાસ પર હવે સિક્કો લગાવવામાં નહી આવે અને યાત્રી હવે ફ્લાઇટમાં પોતાની સાથે 350 મિલીલીટર હેન્ડ સેનિટાઇઝર લઇ જઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્યૂરો ઓફ સિવિલ એવિએશન (BCAS)એ પોતાના આદેશમાં કહ્યું કે દરેક એરપોર્ટ સંચાલકને એ સુનિશ્વિત કરવું પડશે કે પીઇએસસી ક્ષેત્રમાં ઉપયુક્ત ઉંચાઇ પર પર્યાપ્ત સીસીટીવી કેમેરા લાગેલા હોય જેથી યાત્રી અને તેના બોડીંગ પાસની ઓળખ રેકોર્ડ કરી શકાય. 


અત્યાર સુધી સીઆઇએસએફના 13થી વધુ કર્મચારી COVID-19થી સંક્રમિત જોવા મળ્યા છે, જે દિલ્હી, મુંબઇ અને અમદાવાદના એરપોર્ટ પર તૈનાત હતા. 


બીસીએએસએ કહ્યું આ આદેશ COVID-19 મહામારીના સંક્રમણને સ્પર્શ અથવા સંપર્કના માધ્યથી ફેલાતો રોકવા માટે ભરવામાં આવી રહેલા પગલાં હેઠળ કરવામાં આવ્યું છે.  


બીજા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'એટલા માટે એ નક્કી કરવામાં આવ્યું છે કે વિમાનમાં સવાર થઇ રહેલા મુસાફરોને પોતાની હેન્ડ બેગમાં અથવા વ્યક્તિગત રૂપે પોતાની સાથે 350 મિલીલીટર સુધી તરલ હેન્ડ સેનિટાઇઝર લઇ જવા દેવામાં આવશે. સામાન્ય રીતે 100 મિલીલીટરથી વધુ તરલ પદાર્થ મુસાફરોને હેન્ડબેગમાં લઇ જવાની પરવાનગી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube