નવી દિલ્હી: સોના-ચાંદીની ખરીદી કરવા માટે મંગળવારનો દિવસ સૌથી સારો છે. મંગળવારે ત્રિપુષ્કર યોગ છે. 30 ઓક્ટોબર એટલે કે મંગળવારે દુર્લભ ત્રિપુશષ્કર યોગ છે, આ દિવસે જ્વેલરી,પ્રોપટી ખરીદવી અને કંસ્ટ્રક્શન લાઇન શરૂ કરવા માટેનું સૌથી મૌટુ મુર્હત કહેવામાં આવે છે, આ દિવસે ખરીગદેલું સોનું લાભદાયક માનવામાં આવે છે. ઘકમાં સુખ અને સમુદ્ધિ લઇને આવે આવે છે. આ સમયે સોનુ ખરીદવુંએ સૌથી વધુ ઉત્તમ રહેશે. જ્યારે કિંમતોની વાત કરીએ તો દિલ્હીમાં સોમવારે સોનાની કિંમતોના ભાવ 32,550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યા હતા. ગત અઠવાડિયે સોનાના ભાવ છ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોચ્યા હતા. જ્યારે શુક્રવાર અને શનિવારે ભાવમાં ઘટાડો આવ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30ઓક્ટોબર-ત્રિપુષ્કર યોગ- મંગળવારે સાંજે 5.08 વાગ્યે શરૂ થશે જેમાં વસ્ત્રો, આભૂષણો, વાહન, ફર્નીચર, ઇલેક્ટ્રીક વસ્તુઓ જેવી વસ્તુઓની ખરીદી કરવી લાભદાયક સાબિત થાય છે. સોનું ખરીદવા માટે બુધવાર પણ સારો દિવસ માનવામાં આવે છે. ત્યાર બાદ ધનતેરસના પહેલા એક દિવસે પણ ખરીદી કરવા માટે સારો દિવસ છે.


વધુ વાંચો...સરકાર vsઆરબીઆઇ: જાણો શું છે તકરાર પાછળનું વાસ્તવિક કારણ



31 ઓક્ટોબરે આખો દિવસ કરી શકાશે સોનાની ખરીદી 
દિવાળી અથવા તો દિવાળી પહેલા પુષ્પ નક્ષત્ર આવવું શુભ માનવામાં આવે છે. દિવાળી પહેલા આ વર્ષે પુષ્પ નક્ષત્ર 31 ઓક્ટોમ્બર એટલે કે બુધવારે આવે છે. કારણ કે પુષ્પ નક્ષત્રના દેવતા બૃહસ્પતિ હોવાથી શ્રી ગણેશના દિવસે બુધવારે આવે છે. માટે જ આ દિવસે શુભકારક યોગ માનવામાં આવે છે. પુષ્પ નક્ષત્ર 30 ઓક્ટોબરની રાત્રે 3વાગ્યે ને 50 મિનીટે શરૂ થશે અને 31 ઓક્ટોબરની રાત્રે 2 વાગ્યેને 34 મિનીટ સુધી ચાલુ રહેશે. આ મુજબ 31 તારખે આખો દિવસ સોનાની ખરીદી કરવી તમારી માટે લાભદાયક રહેશે.