Street Dog Attack On Wagh Bakri Owner Parag Desai : જ્યારથી વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈના દુઃખદ અવસાનના સમાચાર આવ્યા છે ત્યારથી કૂતરાઓની સમસ્યાને લઈને ચર્ચા છેડાઈ છે. વાઘ બકરી અને પરાગ દેસાઈ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. કહેવાય છે કે પરાગ દેસાઈ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને રસ્તામાં કૂતરાઓનાં ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. તેઓ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા હતા. આ સમયે લપસીને રોડ પર પડી જતાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

50 વર્ષીય પરાગને બ્રેઈન હેમરેજ થયું અને તેમનું અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું કે 15 ઓક્ટોબરે પડી ગયા બાદ કૂતરાના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના પર શેરીના શ્વાનોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પટકાતાં એમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. પડી જવાના કારણે બ્રેઈન હેમરેજ થયું અને પરાગ દેસાઈને થલતેજની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓ છેલ્લા અઠવાડિયાથી નિરીક્ષણ હેઠળ હતા.


શરમજનક બાબત! રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી ચા બ્રાન્ડના માલિક પરાગ દેસાઈનો ગયો જીવ


આજે લોકો રખડતા કૂતરાઓની સમસ્યાને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે. કાશ્મીરી પંડિત ખુશ્બુ મટ્ટુએ ટ્વિટર પર લખ્યું, 'હું બે બાળકોની માતા છું. ભારતમાં તમે જ્યાં પણ જાઓ, સુંદર કાશ્મીર હોય કે મુંબઈ, હાર્દિક દિલ્હી હોય કે ટેક-પ્રો હૈદરાબાદ, રખડતા કૂતરાઓનો ખતરો રહે છે. વાઘ બકરીના માલિકના મૃત્યુનો ઉલ્લેખ કરીને તેમણે પૂછ્યું કે શું આપણે કૂતરાઓને કરડવા દેવા જોઈએ? તેમણે માગણી કરી હતી કે રખડતા કૂતરાઓની નસબંધી અને તેમની વસ્તી પર નિયંત્રણ કાયદા દ્વારા ફરજિયાત બનાવવું જોઈએ.


ઘણીવાર, જ્યારે પણ કૂતરા કરડવાના કિસ્સા પ્રકાશમાં આવે છે અને લોકો ગુસ્સો વ્યક્ત કરે છે, ત્યારે એનજીઓ સાથે કેટલાક કૂતરા પ્રેમીઓ આગળ આવે છે. આવી સ્થિતિમાં ખુશ્બુએ કહ્યું કે આ વિસ્તારમાં કામ કરતી એનજીઓનું પણ કામ છે કે તેઓ રખડતા કૂતરાઓની સંખ્યાને મર્યાદિત કરે. તેમણે લખ્યું, 'અમે નથી ઈચ્છતા કે દેશની 1.3 અબજની વસ્તી 1.3 અબજ કૂતરાઓથી બદલાઈ જાય.' અંતમાં તેમણે લખ્યું કે હું પણ એક ડોગ પ્રેમી છું પરંતુ તેનો અર્થ એ નથી કે 100 કૂતરા રસ્તા પર તમારો પીછો કરવા લાગે.


સંબંધોને તાર તાર કરતો કિસ્સો : રાજકોટમાં પતિએ પત્ની-પ્રેમી-બાળક કન્ટેનર કચડી નાંખ્યા


ગુજરાતમાં હાલમાં દરેક સોસાયટીમાં કૂતરાઓની કમી નથી. ડોગ લવરના નામે સોસાયટીઓમાં એક બ્લોકમાં તમે 2થી 3 કૂતરા તો જોવા મળશે. આ કૂતરાઓ રાખવા માટે પણ પરમિશનની જરૂરિયાત હોય છે પણ એએમસી આ બાબતે કોઈ કાર્યવાહી કરતું નથી. જેને પગલે સોસાયટીના સત્તાવાળા આ બાબતે કોઈ પગલાં ભરી શકતા નથી


શ્વેતાએ લખ્યું છે કે તે વાઘ બકરીના પરાગ દેસાઈના નિધનના સમાચાર સાંભળીને આઘાતમાં છે. તે માત્ર 50 વર્ષના હતા. તેઓ સ્વપ્નદ્રષ્ટા હતા. તેમની પાસે મોટી યોજનાઓ હતી. એકદમ નમ્ર સ્વભાવના હતા. મનને સુન્ન કરી દે તેવી કરૂણાંતિકા આ છે. પ્રમોદ કુમાર સિંહે લખ્યું કે, સરકારે કૂતરાઓની વધતી જતી સમસ્યા પર નીતિ બનાવવી જોઈએ. રોહિતે તેના જવાબમાં લખ્યું કે જો સરકાર કંઈક કરશે તો કેટલાક ડોગ લવર્સ આવશે અને રડવા લાગશે. પ્રમોદે જવાબમાં લખ્યું હતું કે તેમને તે કરવા દો પરંતુ જીવન મહત્વપૂર્ણ છે. પરાગ દેસાઈના નિધન પર વ્યાપારી જગતના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઊંડું દુઃખ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.


લાલ ચટાક મરચાથી ગોંડલ માર્કેટ યાર્ડ ઉભરાયું, મુહૂર્તમાં આટલે સુધી બોલાયો ભાવ