Shapoor Family: શાપૂરજી પલ્લોનજી ગ્રુપના હેડ શાપૂર મિસ્ત્રી (Shapoor Mistry)ની પાસે અઢળક સંપત્તિ છે. જ્યારે તેમની સંપત્તિની વાત આવે છે તો તેમાં તેમની ટાટા સન્સમાં 18.4 ટકા ભાગીદારીની વાત થાય છે. ટાટા સન્સમાં તેમની ભાગીદારી આશરે 130 અબજ ડોલર (1520560 કરોડ રૂપિયા) ની છે. આ ભાગીદારીના દમ પર મિસ્ત્રી પરિવાર દેશના સૌથી મોટા ટાટા ગ્રુપમાં મુખ્ય શેરહોલ્ડર છે. શાપૂરજી પલ્લોનજી ગ્રુપની શરૂઆત 159 વર્ષ પહેલા થઈ હતી. આ ગ્રુપ એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રનું દિગ્ગજ ગ્રુપ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં થયું હતું નિધન
1964માં જન્મેલા શાપૂર મિસ્ત્રી, પલોનજી મિસ્ત્રી અને પેટ્સી પેરીન દુબાશના મોટા પુત્ર છે. તેને બે બહેનો અને એક ભાઈ સાયરસ મિસ્ત્રી છે. સાયસનું 2022માં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લગભગ બે વર્ષ પહેલાં તેમના પિતા અને ભાઈ બંનેના અવસાન પછી, શાપૂરજીએ પારિવારિક વ્યવસાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમનો વ્યવસાય વાર્ષિક આશરે $30 બિલિયનની આવક પેદા કરે છે. વર્ષ 2022 શાપૂરજી માટે વ્યક્તિગત રીતે ખૂબ જ નુકસાનકારક હતું.


બિઝનેસના રી-સ્ટ્રક્ચરિંગ પર કર્યું કામ
પહેલા જૂનમાં પિતાનું નિધન થયું હતું. તેના ત્રણ મહિના બાદ ભાઈ સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. પોતાના મોત પહેલા સાયરસ લોનમાં દબાયેલા પોતાના બિઝનેસના રી-સ્ટ્રક્ચરિંગમાં શાપૂરજીની સાથે મળી કામ કરી રહ્યાં હતા. તે નાણાકીય મામલાને સ્થિર કરવા માટે પોતાની સંપત્તિઓના વેચાણ પર ફોકસ કરી રહ્યાં હતા. આ પડકારોએ શાપૂરજીને પરિવારના બિઝનેસની લીડરશિપમાં ઇમોશનલ અને ઓપરેશનલ જટિલતાઓની જાણકારી મેળવવા મજબૂર કર્યાં.


આ પણ વાંચોઃ આવી ગઈ તારીખ! આ દિવસે થશે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની જાહેરાત


2016માં વિવાદો બાદ પોતાના પદથી અલગ થયા સાયરસ
મિસ્ત્રી પરિવારની સંપત્તિ ટાટા ગ્રૂપ સાથે ઊંડી રીતે જોડાયેલી છે, મુખ્યત્વે ટાટા સન્સમાં નોંધપાત્ર હિસ્સો દ્વારા. શાપૂરના પિતા પલોનજી મિસ્ત્રીએ ટાટાના હેડક્વાર્ટરમાં તેમની આકર્ષક હાજરી માટે 'ફેન્ટમ ઑફ બોમ્બે હાઉસ' ઉપનામ મેળવ્યું હતું. ટાટા ગ્રૂપ સાથે તેમના પરિવારનું જોડાણ 2012 માં ધ્યાન પર આવ્યું જ્યારે સાયરસ મિસ્ત્રીની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી. જોકે, 2016માં કેટલાક વિવાદો બાદ તેણે પોતાના પદ પરથી હટી ગયા હતા. આ પછી મિસ્ત્રી અને ટાટા પરિવાર વચ્ચે લાંબી કાનૂની લડાઈ શરૂ થઈ હતી.


પરિવારના બે લોકોના નિધન બાદ કમાન સંભાળતા શાપૂર જી મિસ્ત્રીએ શાપૂરજી પલ્નોનજી ગ્રુપને ગ્રોથ માટે રી-સ્ટ્રક્ચર કરવાનું શરૂ કર્યું હતું. નાણાકીય વર્ષ 2021માં તેમણે અને સાયરસ મિસ્ત્રીએ પોતાના બેસિક ઇન્ફ્રા અને રિયલએસ્ટેટ બિઝનેસને સારી રીતે મેનેજ કરવા માટે બે અલગ-અલગ સંસ્થાઓ- એસપી ફાઈનાન્સ અને એસસી ફાઈનાન્સની શરૂઆત કરી મહત્વનો ફેરફાર કર્યો હતો. શાપૂરજી આગામી પેઢીને પણ બિઝનેસમાં સામેલ કરવા માટે ઈચ્છુક છે, તેમના બે પુત્ર અને સાયરસ મિસ્ત્રીનો પુત્ર ફિરોઝ અને જાહાન મિસ્ત્રી પણ સામેલ છે.