Vibrant Gujarat: ગુજરાતને લીલાલહેર થવાની છે. મોદીની હાજરીમાં યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાતમાં દેશ અને દુનિયાની કંપનીઓના સીઈઓએ ભાગ લીધો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ટાટા સન્સે ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. માઇક્રોન, સુઝુકી જેવી મોટી કંપનીઓએ પણ ગુજરાતમાં તેમની રોકાણ યોજનાઓનું અનાવરણ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vibrant Gujarat: ગુજરાતમાં હાલમાં સૌથી મોટો પ્રસંગ ચાલી રહ્યો છે. UAEના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન બન્યા છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસર પર UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ સહિત વિશ્વના ઘણા નેતાઓ અને વિશ્વભરના ટોચના ઉદ્યોગ નેતાઓએ ભાગ લીધો હતો. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, ટાટા ગ્રુપના એન ચંદ્રશેકરન, લક્ષ્મી મિત્તલ અને નિખિલ કામત જેવા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં કંપનીઓએ ગુજરાત માટે મોટા રોકાણની જાહેરાત કરી હતી. અદાણી, મારુતિ સુઝુકી, ટાટા, રિલાયન્સ જેવી મોટી કંપનીઓએ ગુજરાતમાં તેમની રોકાણ યોજનાઓ જાહેર મંચ પરથી જાહેર કરી છે.


જાહેરમા બોલવાનુ ટાળતા દુબઈ પ્રેસિડન્ટે વાઈબ્રન્ટમા આપ્યું ભાષણ, ગુજરાત બન્યુ નિમિત્ત


ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ 
રિલાયન્સ માટે ગુજરાત એ બીજુ ઘર છે. આજની સમીટમાં મુકેશ અંબાણીએ મસમોટી જાહેરાતો કરી હતી અને એકબાદ એક 5 વચન આપ્યા હતા. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના ભાષણની શરૂઆત 'મોદી હૈ તો મુમકીન હૈ' શબ્દોથી કરી હતી. તેમણે કહ્યું કે ગુજરાત હંમેશાથી તેમની કર્મભૂમી રહી છે. રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે, જેમાંથી ત્રીજા ભાગનું રોકાણ માત્ર ગુજરાતમાં જ થયું છે. મુકેશ અંબાણીએ કહ્યું છે કે રિલાયન્સ આગામી 10 વર્ષ સુધી ગુજરાતના ગ્રીન એનર્જી સેક્ટરમાં તેનું રોકાણ ચાલુ રાખશે. 2030 સુધીમાં રિલાયન્સ ગુજરાતના લગભગ અડધા ભાગની ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરશે. રિલાયન્સે જામનગરમાં 5000 એકર વિસ્તારમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું છે. આ રોકાણથી ગ્રીન જોબ્સનું સર્જન થશે.


ગૌતમ અદાણીએ ગુજરાતમાં કરી મોટા રોકાણની જાહેરાત, 1 લાખ નવી નોકરીઓ આવશે


ટાટાના EV પ્રોજેક્ટ માટે ગુજરાત બીજું ઘર 
ટાટાની નેનો પણ ગુજરાતના સાણંદમાં આવી હતી. ટાટા જૂથનો ગુજરાત સાથે જૂનો નાતો છે. ટાટાસનના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ગુજરાત અને ટાટા વચ્ચેના સંબંધો વર્ષો જૂના છે. ટાટા 1939 થી ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતમાં ટાટાની 21 કંપનીઓ છે, ગુજરાતમાં 50000થી વધુ ટાટા કર્મચારીઓ કામ કરે છે. તેમણે કહ્યું કે ગુજરાત ટાટાના EV પ્રોજેક્ટ માટે ઘર જેવું છે. તેમણે કહ્યું કે ટાટા બરોડાથી ધૌલેરા સુધી C295 સંરક્ષણ વિમાન વિકસાવશે. તેમણે કહ્યું કે આગામી બે મહિનામાં 20-GW બેટરી સ્ટોરેજ ફેક્ટરી ગુજરાતમાં કાર્યરત થશે. તેમણે કહ્યું કે સાણંદ અમારા તમામ ઇલેક્ટ્રિક વાહનો માટે ટેકનોલોજીનું ઘર બની રહ્યું છે. અમે વધારાની ક્ષમતા સાથે ત્યાં અમારી હાજરીને વિસ્તારીશું. જેને પગલે ગુજરાતને પણ જબરદસ્ત ફાયદો થશે.



સુઝુકી મોટર્સ કરશે 38200 કરોડનું રોકાણ
વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધતા મારુતિ સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે કંપની આ વર્ષના અંત સુધીમાં પ્રથમ બેટરી ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કરશે. જેને ગુજરાતમાંથી લોન્ચ કરવામાં આવશે. સુઝુકી મોટર ગુજરાતમાં રૂ. 3200 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે કંપની ગુજરાતમાં નવી પ્રોડક્શન લાઇન માટે રૂ. 3200 કરોડનું રોકાણ કરશે, જ્યારે બીજા પ્લાન્ટ માટે રૂ. 35000 કરોડનું રોકાણ કરશે. એકંદરે, સુઝુકીએ ગુજરાતમાં રૂ. 38200 કરોડની મોટી રોકાણ યોજના રજૂ કરી હતી.


20 હજાર રૂપિયા વ્યાજે લેવાના બદલામાં યુવકને મળ્યું મોત : વ્યાજખોરોએ બદલો લીધો


ડીપી વર્લ્ડ 3 બિલિયનનું કરશે રોકાણ
અમીરાતની લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યું હતું કે તેઓ આગામી ત્રણ વર્ષમાં ગુજરાતમાં $3 બિલિયનનું વધારાનું રોકાણ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની કંપની કંડલા પોર્ટ પર 2 મિલિયન કન્ટેનરની ક્ષમતાવાળું કન્ટેનર ટર્મિનલ બનાવશે. આ સિવાય આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે તેમની કંપની વર્ષ 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરી સ્થાપશે. માઈક્રોનના સીઈઓ સંજય મલ્હોત્રાએ તેમના સેમિકન્ડક્ટર પ્લાન વિશે માહિતી આપી હતી. આમ વાઈબ્રન્ટ ગુજરાત રોકાણકારો માટે સૌથી મોટો મંચ બની રહ્યો છે.