નવી દિલ્હી: નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારના 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજના પહેલા ચરણની જાહેરાત કરી છે. આ પેકેજની જાહેરાત બાદ નાણા મંત્રીએ પત્રકારોના સવાલના જવાબ પણ આપ્યા હતા. તે દરમિયાન Zee Businessના પત્રકાર સમીર દીક્ષિતે પણ તે દરમિયાન નાણા મંત્રીથી બેંક લોન વિશે એક સવાલ પૂછ્યો હતો. સમીરે નાણા મંત્રીથી બેંકની ક્રેડિટ લાઇનની હાલની સ્થિતિ અને સરકાર દ્વારા બેંકની ક્રેડિટ લાઇનને મંજૂરી આપવામાં વિલંબ વિશે જાણવાની ઇચ્છા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક પેકેજ 1માં કરી 20 મહત્વપૂર્ણ જાહેરાતો, જાણો કોને શું મળ્યું


બેંકો તરફથી કોઈ થતો નથી વિલંબ
તેના પર નાણામંત્રીએ ઝી બિઝનેશને જવાબ આપ્યો કે બેંકો વતી લોન આપવામાં કોઈ વિલંબ થતો નથી. જો કે, લોન માટે અરજી કરનારાઓ જ હાલમાં બેંકોને લોનની રકમ મોડામાં આપવા માટે કહી રહ્યા છે. આવું એટલા માટે કેમ કે લોકડાઉનના કારણથી તેઓ રકમનો ઉપયોગ કરી શકશે નહીં અને તેમની ઇએમઆઈ પણ શરૂ થશે.


આ પણ વાંચો:- નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત માટે કરી આ મોટી જાહેરાત, જાણો કોને શું મળ્યું


નાણા મંત્રીને એમ પણ કહ્યું કે બેંકો લોન આપવામાં ડરતા નથી. અરજદારને ધિરાણ આપવાની બાબતમાં તેઓ પહેલાથી વધુ સક્રિય છે. આ સાથે જ સરકારે આરબીઆઈ દ્વારા બેંકોને પહેલાં કરતાં વધુ તરલતા આપી છે. જો ભવિષ્યમાં બેંકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો સરકાર બેંકોને મદદ કરશે.


કોરોનાના ભયથી દવાના વેચાણમાં વધારો, રાતોરાત રોગપ્રતિકારક શક્તિ વધારવા અધીરા બન્યા લોકો


કુટીર-નાના પાયાના ઉદ્યોગો માટે સરકાર 6 મોટા પગલાં લેશે. તેમણે MSME ક્ષેત્ર માટે 3 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. MSME ક્ષેત્રને ગેરંટી વિના લોન મળશે. સરકારે સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યા બદલી. નવી વ્યાખ્યા હેઠળ રોકાણ અને વાર્ષિક ટર્નઓવર માટેના નિયમો બદલયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube