મુંબઈ: બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાને સંજય દત્તની ફિલ્મ સંજૂ જોયા બાદ પોતાના વિચાર માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર શેર કર્યાં. આમિરે ટ્વિટ કરીને લખ્યું કે સંજૂ ખુબ ગમી. એક પિતા અને પુત્રની, અને બે મિત્રોની ખુબ જ ભાવુક કરી નાખે તેવી કહાની. રણબીરે શાનદાર કામ કર્યું છે અને વિકી કૌશલે તો મગજ હલાવી નાખ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમિરે રાજકુમાર હિરાનીને આટલી શાનદાર ફિલ્મ બનાવવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે આભાર રાજુ એક વધુ એન્ટરટેઈન અને સશક્ત કરનારી ફિલ્મ બનાવવા બદલ. ખુબ ખુબ પ્રેમ. અત્રે જણાવવાનું કે સંજૂ જોયા બાદ રણબીર કપૂર અને દિગ્દર્શક રાજકુમાર હિરાનીના ચારે કોર ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે. દર્શકો તો ફિલ્મ જોઈને જાણે પાગલ થઈ ગયા હોય તેવો માહોલ છે.



ફિલ્મમાં સંજય દત્તની એવી પણ કેટલીક વાતો જાણવા મળી જેણે લોકોને ખુબ ભાવુક કરી નાખ્યાં. આલિયા ભટ્ટની માતા સોની રાજદાને પણ લખ્યું છે કે હું આ છોકરાને પસંદ કરું છું. તે દુનિયાના કેટલાક દયાળુ લોકોમાંનો એક છે. સંજૂ સાથે કોઈની સરખામણી થઈ શકે નહીં.