નવી દિલ્હી : મહિલાઓ સાથે આચરવામાં આવતી યૌન શોષણની ઘટનાઓના વિરોધમાં #MeToo કેમ્પેઇન આખા દેશમાં ફેલાઈ રહ્યું છે. આ અભિયાનને કારણે આમિર ખાને તો ગુલશન કુમારના જીવન પર બની રહેલી 'મુગલ'માં પણ કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. હવે સમાચાર મળ્યા છે કે આમિર દેશમાં ચાલી રહેલા આ અભિયાનથી પોતાના સુપરહિટ ટીવી શો 'સત્યમેવ જયતે'ની ચોથી સિઝનની શરૂઆત કરવાના પ્લાનિંગમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પિતા સૈફ સાથે દીકરો તૈમુર પહોંચી ગયો જિમ, અને પછી....


અમારા સહયોગી અખબાર ડીએનએમાં આવેલા સમાચાર પ્રમાણે આમિર 2014 પછી ફરી પોતાના આ શોને ટીવી પર લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ સિરિઝની છેલ્લી સિઝન 2014ના ઓક્ટોબર મહિનામાં પ્રસારિત થઈ હતી. હવે ચર્ચા છે કે આમિર પોતાના આ શોની શરૂઆત આમિરના શોની નવી સિઝન આવતા વર્ષે જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ શકે છે. આમિર આ શરૂઆત #MeToo કેમ્પેઇન અને એની સાથે જોડાયેલી વાર્તાઓથી કરવાનો છે. 


#MeToo : સલમાનની એક સમયની ગર્લફ્રેન્ડ સોમી અલીએ જણાવી દિલ ધ્રુજાવી દેતી આપવીતી


છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂડ, રાજકારણ અને મીડિયા સાથે જોડાયેલી અનેક મોટી હસ્તીઓ સામે મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે. ફિલ્મમેકર સાજિદ ખાન અને નાના પાટેકર સામે મહિલાઓએ આરોપ લગાવ્યા પછી આ બંનેને આગામી ફિલ્મ 'હાઉસફુલ 4'માંથી હટાવી દેવામાં આવ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...