નવી દિલ્હી: અભિનેત્રી દિવ્યા ચોકાસી (Divya Chouksey)નું રવિવારે નિધન થયું. ચોક્સીને લોકો ફિલ્મ 'હૈ અપના દિલ તો આવારા' થી ઓળખતા થયા હતાં. ચોક્સીના નિધનની પુષ્ટિ અભિનેતા સાહિલ આનંદ દ્વારા તેમના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવેલા એક શોક સંદેશથી થઈ છે. પરંતુ દિવ્યાના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેની છેલ્લી પોસ્ટ ખુબ વાઈરલ થઈ રહી છે. નિધનના થોડા કલાકો પહેલા દિવ્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ માટે એક હ્રદયદ્રાવક પોસ્ટ કરી હતી. જેમાં તેણે દુનિયાને અલવિદા કરી દીધી હતી. દિવ્યાનું નિધન કેન્સર સામે એક લાંબી લડત લડ્યા બાદ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે લખ્યું હતું કે "હું જે કહેવા માંગુ છું તેના માટે પૂરતા શબ્દો નથી. મને ગાયબ રહ્યે મહિનાઓ થઈ ગયાં અને અનેક સંદેશાઓનો ઢગલો થયો. આજે હું તમને બધાને જણાવું છું કે હું મારી મૃત્યુશૈયા પર છું. હું મજબુત છું. પીડારહિત બીજા જીવન માટે. કોઈ સવાલ નથી પ્લિઝ. તમે મારા માટે કેટલા મહત્વના છો તે ફક્ત ઈશ્વર જાણે છે. ડીસી બાય."


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube