ડાયરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ રિલિઝ થતાની સાથે જ વિવાદમાં સપડાઈ હતી. ફિલ્મના ડાઈલોગ્સે દર્શકોને હચમચાવી દીધા અને દર્શકોએ તેને સંપૂર્ણપણે રિજેક્ટ કરી દીધા. ડાઈલોગની ખુબ જ ટીકા થઈ અને સોશિયલ મીડિયા પર લોકોએ આ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુંતશિરને પણ ખુબ જ ટ્રોલ કર્યા. ટ્રોલિંગ બાદ હવે મનોજ મુંતશિરે હાથ જોડીને માફી માંગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનોજ મુંતશિરે માંગી માફી
મનોજ મુંતશિરે ટ્વીટ કરીને ફેન્સ, સાધુ સંતો, અને શ્રીરામના ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે હું સ્વીકારું છું કે ફિલ્મ આદિપુરુષથી જનભાવનાઓને ઠેસ પહોંચી છે. અમારા તમામ ભાઈઓ-બહેનો, વડીલો, પૂજ્ય સાધુ સંતો અને શ્રીરામના ભક્તોને હું હાથ જોડીને બિનશરતી ક્ષમા માંગુ છું. ભગવાન બજરંગ બલી આપણા બધા પર કૃપા કરે, આપણે એક અને અતૂટ રહીને આપણા પવિત્ર સનાતન અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે!


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube