મુંબઇ: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ કેસમાં મુંબઇ પોલીસે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફિલ્મમેકર આદિત્ય ચોપડાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ દરમિયાન ફિલ્મ 'પાની' અને સુશાંત વચ્ચે યશરાજ ફિલ્મ્સ કોન્ટ્રાક્ટને લઇને સવાલ જવાબ કર્યા. લગભગ 4 કલાક પોતાનું નિવેદન નોંધ્યા બાદ આદિત્ય ચોપડા બાંદ્રા પોલીસ પોલીસ સ્ટેશનમાંથી નિકળી ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે આ પહેલાં સુશાંત કેસમાં મુંબઇ પોલીસે સુશાંતના ડોક્ટરનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ડોક્ટરને સુશાંતના ડિપ્રેશન વિશે તથા સારવાર વિશે મુંબઇ પોલીસે પૂછપરછ કરી હતી. તો બીજી તરફ અત્યાર સુધીની તપાસમાં જાણકાઈ મળી છે કે સુશાંત ઓક્ટોબર 2019માં મુંબઇની એક હોસ્પિટલમાં ડીપ ડિપ્રેશનની ફરિયાદ સાથે લગભગ એક અઠવાડિયા માટે એડમિટ થયા હતા. સુશાંતે ગત કેટલાક વર્ષોથી 5 અલગ મનોચિકિત્સક (Psychiatrist)ને મળ્યા હતા. મુંબઇ પોલીસે તેમાંથી બે ડોક્ટરો સાથે શુક્રવારે કલાકો સુધી પૂછપરછ કરી નિવેદને નોંધ્યા છે.


તમને જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અત્યાર સુધી 35થી વધુ લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. તો બીજી તરફ ગત વર્ષે એક જાહેરાતના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી યૂરોપ ટૂર ગઇ હતી. તે સમયે ટિકીટને છોડીને બધો ખર્ચ સુશાંત સિંહે કર્યો હતો. આ ઉપરાંત રિયા ચક્રવતીએ ગત 11 મહિનામાં સુશાંત સિંહના એકાઉન્ટમાંથી ખૂબ ઓછી રકમ ખર્ચ કરી છે. આ રકમ કેટલી છે, તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube