નવી દિલ્હી: વર્ષ 2020 જ્યાં દુનિયામાં કોરોના વાયરસના કારણે ખરાબ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બોલિવુડ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ ઘણું ખરાબ સાબિત થયું છે. જ્યાં એક બાજું લાંબા સમયથી શૂટિંગ બંધ રહેવાથી કલાકારોને નુકસાન થયું તો બીજી તરફ ફિલ્મોને રિલિઝ થતા અટકવાથી પણ ઇન્ડસ્ટ્રીને ખોટ થઈ રહી છે. પરંતુ આ બધા કરતા સૌથી મોટું નુકસાન આ વર્ષે આપણે કેટલાક મોટા કલાકારોને ગુમાવ્યા છે. આવું જ એક નામ છે દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)નું. ઇન્સ્ટાગ્રામે ઇરફાન ખાનને સન્માન આપવા માટે એક મોટો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત સુસાઇડ કેસ: સંજય લીલા ભણસાલીને પૂછ્વામાં આવ્યા 30-35 પ્રશ્નો, મળ્યા આ જવાબ


ઇન્સ્ટાગ્રામના આ ફેરફાર બાદ સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને ઇરફાન ખાનના એકાઉન્ટમાં એક સમાનતા જોવા મળી રહી છે. સુંશાત સિંહ રાજપૂતના નિધન બાદ ઇન્સ્ટાગ્રામે તેના એકાઉન્ટને મેમોરિયલાઇઝ્ડ કરી દીધું છે. હવે સુશાંત બાદ ઇન્સ્ટાગ્રામે દિગ્ગજ કલાકાર ઇરફાન ખાનનું એકાઉન્ટ પણ મેમોરિયલાઇઝ્ડ કર્યું છે. બંનેના એકાઉન્ટમાં રિમેમ્બરિંગ શબ્દ લખેલો છે.


આ પણ વાંચો:- Sushant Singh Rajput Case: પોલીસ પૂછપરછમાં ભણસાલીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં


આ ફેરફાર જોતા ઇરફાન ખાનના ફેન્સ ઘણા ભાવુક થઇ ગયા છે. તેમના એકાઉન્ટનો સ્ક્રીન શોર્ટ હવે ખુબજ વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે, આ ફેરફાર બાદ સુશાંત સિંહ રાજપૂત અને ઇરફાન ખાનના એકાઉન્ટમાં હેવ કોઇ લોગિંન નહીં કરી શકે. એકવાર જો કોઇનું એકાઉન્ટ મેમોરિયલાઇઝ્ડ થઈ જાય છે. તો તે એકાઉન્ટની કોઇપણ પોસ્ટમાં કંઇ ચેન્જ થઈ શકશે નહીં. જો કે, આ બંને કલાકારો દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ, ફોટો અને વીડિયો હવે હમેશાં અહીં રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube