નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અજય દેવગનના ભાઈ અનિલ દેવગનનું સોમવારે રાત્રે નિધન થઈ ગયુ છે. તેમના અચાનક નિધનથી દેવગન પરિવારમાં દુખનો માહોલ છે. આ વાતની જાણકારી ખુદ અજયે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજયે પોતાના ભાઈની એક તસવીર શેર કરી છે. આ સાથે તેમણે લખ્યુ- મેં કાલે રાત્રે પોતાના ભાઈ અનિલ દેવગનને ગુમાવી દીધો. તેમના અચાનક નિધને અમારા પરિવારને તોડી દીધો છે. 


મહામારીને કારણે પ્રાર્થના સભા નહીં
અજયે આગળ લખ્યુ- પરિવાર અને હું તેની હાજરીને યાદ કરીશું. તેમની આત્મા માટે પ્રાર્થના કરો. મહામારીને કારણે અમે પર્સનલ પ્રેયર મીટ નહીં રાખીએ. 


સિનેમા અને મલ્ટીપ્લેક્સ માટે ગાઇડલાઇન જાહેર, ફિલ્મ જોવા આ નિયમોનું કરવું પડશે પાલન  

અનિલે 1996મા આવેલી સની દેઓલ, સલમાન ખાન અને કરિશ્મા કપૂરની ફિલ્મ જીતથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું. ત્યારબાદ અજયની ફિલ્મો જાન, પ્યાર તો હોના હી થા, ઈતિહાસ અને હિન્દુસ્તાનની કસમમાં અનિલે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube