મુંબઈ : બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરે હાલમાં વડાપ્રધાનની મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી અનિલ કપૂરે એક તસવીર શેયર કરી છે. જેની સાથે કેપ્શનમાં તેણે પીએમના વખાણ કર્યાં છે. મણે લખ્યું છે કે તેને પીએમને મળવાની તક મળી એ બદલ તે સન્માનની વાત છે. વડાપ્રધાન સાથે વાત કરીને તે પ્રેરિત છે. અનિલ કપૂરે લખ્યું હતું કે,’આજે મને માનનીય વડાપ્રધાનને મળવાની તક મળી હતી. આ વાતચીતમાંથી ઘણી પ્રેરણા મળી હતી. તેમની દ્રષ્ટિ અને પ્રતિભા કમાલની છે. તેમને મળીને હું સન્માનિત થયાની લાગણી અનુભવી રહ્યો છું.’ 


#MeToo : રાજકુમારના બચાવમાં બોલ્યા જાવેદ અખ્તર, હિરાણી સૌથી સન્માનનીય વ્યક્તિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ બોલિવૂડના અનેક યંગસ્ટર્સની મુલાકાત કરી હતી. આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રાજકુમાર રાવ, કરણ જોહર, એકતા કપૂર સહિત અનેક સ્ટાર્સ પીએમને મળ્યાં હતાં. આ પછી સ્ટાર્સ સાથે વડાપ્રધાનની સેલ્ફી પણ વાઈરલ થઈ હતી.  આ પહેલાં હજુ થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલિવૂડના નિર્માતાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે ફિલ્મ ઉદ્યોગ સામે રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત બાદ સરકારે ફિલ્મના ટિકિટો પરનો જીએસટી દર ઘટાડ્યો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...