મુંબઈ : અનિલ કપૂર અને શ્રીદેવીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં શ્રીદેવીને યાદ કરીને 61 વર્ષીય અનિલ કપૂરે જણાવ્યું છે કે તેઓ જ્યારે પણ શ્રીદેવીને મળતા હતા ત્યારે તેમને પગે લાગતા હતા. શ્રીદેવીએ અનિલના મોટાભાઈ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. શ્રીદેવી અને બોનીને જહાન્વી અને ખુશી નામની બે દિકરીઓ છે. શ્રીદેવીના અવસાન પછી પણ તેમની દીકરીઓને કપૂર પરિવાર બહુ પ્રેમથી સાચવે છે. શ્રીદેવીના અવસાન પછી જાન્હવી હિરોઇન બની ગઈ છે અને ખુશી હિરોઇન બનવા માગે છે એવી ચર્ચા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન કરીને હાલમાં જ મુંબઈ આવેલી પ્રિયંકા ચોપડા વિશે આવ્યા મોટા સમાચાર


અનિલ કપૂરે તાજેતરમાં ‘ડાન્સ પ્લસ ૪’માં હાજરી આપી હતી. આ એપિસોડ શ્રીદેવીને સમર્પિત કરવામાં આવ્યો હતો. ‘ચાલબાઝ’ ફિલ્મ વિશે વધુમાં જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘શ્રીદેવીજી સંપૂર્ણ એન્ટરટેઇનર હતા. તેઓ પોતાની પાવરફુલ પર્સનાલિટીથી સ્ક્રીન પર જાદૂ રેલાવતા હતા. મને જ્યારે ‘ચાલબાઝ’ ઑફર કરવામાં આવી હતી ત્યારે મને વિચાર આવ્યો કે મારી પાસે શ્રીદેવીજી સામે કામ કરવા જેવુ કંઈ બચશે જ નહીં, કારણ કે તેમણે ડબલ રોલ ભજવ્યો હતો. એક કલાકાર તરીકે હું થોડો મૂંઝાઈ રહ્યો હતો. એથી મેં આ ફિલ્મને ના કહી હતી. તેમણે ખૂબ જ સચોટતાથી પોતાના ડબલ રોલને ભજવીને સ્ક્રીન પર જાદૂ રેલાવ્યો હતો જેની સરખામણીએ તો કોઈ ન આવી શકે.’


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...