મુંબઇ: બોલીવુડ અભિનેતા આમિર ખાન (Aamir Khan) ના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે પત્ની કિરણ રાવ (Kiran Rao) સાથે પરસ્પર સહમતિથી છૂટાછેડા (Divorce) લઇ રહ્યા છે. બંનેએ 28 ડિસેમ્બર 2008ના રોજ લગ્ન કર્યા હતા. 15 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડા પર આમિર (Aamir Khan) અને કિરણ રાવે (Kiran Rao) ઓફિશિયલ સ્ટેટમેંટ પણ જાહેર કરી દીધું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bollywood માં આવ્યું નવું ભૂત, અભિનેત્રીના આ રૂપની ક્યારેય નહી કરી હોય કલ્પના, જોઇ કંપી ઉઠશે કાળજુ



બંનેએ લખ્યું, '15 વર્ષ સાથે વિતાવતી વખતે અમે હસતાં હસતાં ખુશીથી જે પળો વિતાવી છે અને અમારો સંબંધ વિશ્વાસ, સન્માન અને પ્રેમથી આગળ વધતો રહ્યો. જ્યારે અમે અમારી જીંદગીનો નવો અધ્યાય શરૂ કરીશુ- જોકે પતિ-પત્નીની માફક નહી, પરંતુ કો-પેરેંટ અને એકબીજા માટે પરિવારની માફક હશે. અમે થોડા સમય પહેલાં જ અમારો સેપરેશન પ્લાન કર્યો હતો અને હવે આ અલગ-અલગ રહેવાની વ્યવસ્થામાં સહજ છે. અમે પુત્ર આઝાદ માટે કો-પેરેન્ટ્સ બની રહીશું અને તેનો ઉછેર પણ સાથે જ કરીશું. 

Top 10 Car List: જૂન મહિનામાં આ 10 કાર્સ બની લોકોની પહેલી પસંદ, ખરીદતાં પહેલાં જોઇ લેજો યાદી


અમે ફિલ્મો અને અમારા પાની ફાઉન્ડેશન ઉપરાંત તે તમામ પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરતા રહીશું જેમાં અમારી રૂચિ રહેશે. અમારા મિત્રો અને પરિવારોનો આભાર જેમણે અમને આ દરમિયાન તેમણે સપોર્ટ કર્યો, તેમના સમર્થન વિના અમે આ નિર્ણય લેવામાં સક્ષમ બની ન શકતા. અમે અમારા શુભચિંતકો પાસે આશા રાખીએ છીએ કે તે અમારી માફક આ છૂટાછેડાને એક અંત નહી, પરંતુ એક નવી સફરની શરૂઆત માફક જુએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube