મુંબઈ : મુંબઈ : જાણીતી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક તરફ દિશા વાકાણીની એક્ઝિટ પર અટકળો ચાલી રહી છે ત્યારે અન્ય એક કલાકારે શો છોડ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ કલાકાર છે ‘ટપ્પુ સેના’ની મેમ્બર સોનુ ભીડેનું પાત્ર ભજવતી નિધિ ભાનુશાળી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, નિધિ ભણવાનું પૂરું કરવા માટે શોને બાય-બાય કહેવાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"201783","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બીએ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે. હાલ પ્રોડક્શન હાઉસ તો નિધિને આરામ આપવાના મૂડમાં છે. જોકે, નિધિ શો છોડવાના નિર્ણય પર અટલ છે. આ સંજોગોમાં મેકર્સ એક એક્ઝિટ એપિસોડની તૈયારી કરી રહ્યા છે જેથી નિધિના પાત્રને શોમાંથી વિદાય આપી શકે. 


Video : જ્યારે રેમ્પ પર રણવીર અને અનિલે કર્યો ધમાલ ડાન્સ, આજનો બેસ્ટ વીડિયો


સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો લાંબા સમયથી દયાબેન પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે BollywoodLife.comના રિપોર્ટ પ્રમાણે દિશા વાકાણી હવે કદાચ ટીવીના પડદે પાછી નહીં ફરે. આ મામલે જ્યારે વાત કરવા માટે જ્યારે પ્રોડ્યુસર આસિત મોદીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ પણ સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે આ મામલે હજી વાતચીત ચાલી રહી છે. પોર્ટલ દ્વારા જ્યારે દિશાની ભાઈ હેમાલી વાકાણીનો સંપર્ક કરવામાં આ્યો ત્યારે તેણે કહ્યું હતું કે આ અત્યંત અંગત બાબત છે. આમ, દિશા સિરિયલમાં રહેશે કે જશે એ મામલે કોકડું હજી ગુંચવાયેલું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...