નવી દિલ્હી: સૌથી લોકપ્રિય ટીવી શો 'અનુપમા' (Anupama) ની સ્ટોરીમાં જ્યાં પરિવારમાં શાંતિ દેખાતી હતી, હવે થોડા દિવસોમાં તે શાંતિ વિક્ષેપિત થવાની છે અને મોટું તોફાન આવી રહ્યું છે. છેલ્લા એપિસોડમાં વનરાજ (Sudhanshu Panday) જે પોતાની પૂર્વ પત્ની અનુપમા (Rupali Ganguly) ની તરફેણમાં બોલતો હતો, હવે ફરી એકવાર અનુજ કાપડિયા (Gaurav Khanna) અને અનુપમાને બધી મુશ્કેલીઓનું કારણ જણાવવા જઈ રહ્યો છે. કારણ કે હવે સ્ટોરીમાં સમર (Paras Kalnawat) અને નંદાની (Anagha Bhosale) ના જીવનમાં એક મોટો વળાંક જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમ્પિટિશનમાં થશે ધમાકેદાર ડાન્સ
અનુપમા, દેવિકા અને અનુજ જોરશોરથી કુકિંગ કોમ્પિટિશનની શરૂઆત કરશે. અહીં મહિલા સ્પર્ધકોનું ટેન્શન ઘટાડવા માટે બધા સાથે મળીને ડાન્સ કરશે. આ વાતાવરણને વધુ સારું બનાવવા માટે બાપુજી, ગોપી કાકા અને કિંજલ પણ હાથ મિલાવશે. આ પ્રસંગે અનુપમા મહિલાઓને તેના સંઘર્ષની સ્ટોરી કહેશે અને અનુજ, બાપુજી, દેવિકાનો આભાર માનશે.


બોલિવુડ સોન્ગમાં માઁ મોગલ અને માઁ મેલડીના ગરબા સાથે અશ્લીલતા પીરસાઈ, ગઢવી સમાજ થયો લાલઘૂમ


નંદનીને શોધવા સમર સાથે જશે અનુજ
છેલ્લા દિવસે અમે જોયું કે, સમરને નંદિનીનો પત્ર મળે છે. જેમાં તેણે તેને જાણ કર્યા વગર ઘર છોડવાની વાત લખી હતી અને સમરને સોરી કહ્યું. આનાથી આગળ, આપણે હવે જોશું કે વનરાજ આ પ્રસંગે ગુસ્સો બતાવીને સમરને ટેકો નહીં આપે. તેના બદલે અનુજ તેની સાથે ઉભેલો જોવા મળશે. આવતા એપિસોડમાં, આપણે જોશું કે નંદિનીની શોધ કરતી વખતે સમર સંપૂર્ણપણે પાગલ થઈ જાય છે. જે બાદ સમર અને અનુજ બંને રસ્તા પર ભીડ જોશે. જ્યાં નંદિની પણ બેભાન હાલતમાં જોવા મળશે. આ જોઈને તેમની બંને આંખો ખુલ્લી રહી જશે.


તારક મહેતા....ના મેકર્સે લીધો મસમોટો નિર્ણય, આ ખુશખબર જાણીને તમે ઉછળી પડશો


અનુપમા-અનુજ પર વરસશે વનરાજ
જ્યારે સમર અને નંદની સાથે અનુજ ઘરે પરત ફરશે ત્યારે વનરાજ તેની સાથે પ્રેમથી વાત કરવાને બદલે સમર પર ગુસ્સે થશે. એટલું જ નહીં, આ બધા માટે તે અનુપમાને પણ જવાબદાર ઠેરવશે. જે પછી સમર કહેશે કે તેણે અનુપમાને કહેવાની મનાઈ કરી હતી. જે બાદ વનરાજ ફરી એકવાર અનુજને ટોણા મારવાની વાત કરશે. પરંતુ અનુપમા અનુજને વધુ એક તરફેણ માટે આભાર માનશે. આ જોઈને ફરી વનરાજનું લોહી ઉકળશે.


NCB અધિકારીએ શાહરૂખ ખાનની સામે જ આર્યન ખાનને સટાસટ બે લાફા માર્યા હતા?


બા અને વનરાજ થઈ ગયા સ્તબ્ધ
જ્યારે નંદનીની હાલત ખરાબ છે, તે રસ્તા પર બેભાન અવસ્થામાં મળી છે, તેની તબિયત પૂછવાને બદલે બા અને વનરાજ તેના ભૂતપૂર્વ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ જશે. નંદની કહેશે કે તેણીને પહેલેથી જ શંકા હતી કે તેના ભૂતકાળ વિશે જાણ્યા બાદ બા અને પરિવારના સભ્યો તેને સ્વીકારશે નહીં, તેથી તેણે રોહનનું સત્ય છુપાવ્યું. હવે જોવું રહ્યું કે વરુણ સાથે સમર અને નંદાની કેવી રીતે સામનો કરશે. આવનારા સમયમાં વનરાજ તેને ટેકો આપશે કે નહીં? નંદિનીનું સત્ય જાણ્યા પછી બા તેને પુત્રવધૂ તરીકે અપનાવશે કે નહીં?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube