નવી દિલ્હીઃ ટીવીની પોપ્યુલર સીરિયલ અનુપમા  (Anupamaa) માં દરેક દિવસ તોફાની ન હોય તેમ હોઈ શકે છે? ક્યારેય નહીં. આજકાલ શો ધૂમ મચાવી રહ્યો છે. અનુપમા પોતાના નવા જીવનમાં ઘણું કરવા તૈયાર છે. અનુપમાની લાઇફમાં ઘણું બદલવાનું છે. હાલના એપિસોડમાં જોવા મળ્યું કે અનુપમાને બા-બાપુજીની સાથે પરિવારનો પ્રેમ મળી રહ્યો છે. આ કારણે કાવ્યાને ગુસ્સો આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનુપમા બની નોકરાણી
શાહ હાઉસમાં પરત આવેલી અનુપમા (Anupamaa) ને કાવ્યાએ નવો ઓર્ડર આપી દીદો છે. કાવ્યાએ અનુપમાને ઘરની નોકરાણી બનાવી દીધી છે. અનુપમાને ઘરના કામકાજમાં લગાવી કાવ્યા રાખી પાસે પોતાની ખુશી વ્યક્ત કરે છે. કાવ્યા રાખીને કહે છે કે તે ખુશ છે કારણ કે અનુપમા ઘર અને રસોઈનું બધુ કામ એક નોકરાણીની જેમ કરી રહી છે. 


આ પણ વાંચોઃ Sushant Singh Rajput ની છેલ્લી સોશલ મીડિયા પોસ્ટ હતી માતાના નામે, વાંચીને કરોડો આંખોથી છલકાયા આંસુ!


કાવ્યાને ફટકાર લગાવશે વનજાર
આ વચ્ચે કાવ્યાનું વલણ જોયને વનરાજ ભડકે છે. વનરાજને સારૂ લાગતું નથી કે અનુપમાને કાવ્યા ઘરનું કામ કરવા માટે ઓર્ડર કરી રહી છે. વનરાજ કાવ્યા પર રાડો પાડે છે કારણ કે કાવ્યા, અનુપમાને તેના માટે કોફી બનાવવાનું કહે છે. વનરાજ કાવ્યાને પોતાનું કામ ખુદ કરવાનું કહે છે. હવે વનરાજ એકવાર ફરી અનુપમાનો સાથ આપશે કે નહીં તે આવનારા એપિસોડમાં જોવા મળશે. 


અનુપમા પસંદ કરશે પોતાનો રૂમ
આ વચ્ચે શોમાં જોવા મળશે કે અનુપમા ઘરના સ્ટોર રૂમને પોતાનું ઠેકાણુ બનાવશે. તે સ્ટોર રૂમમાં રહેવાનો નિર્ણય કરશે. પરિવારના બાકી લોકો તેનાથી ચોકી જશે પરંતુ અનુપમા કહેશે કે તે પોતાના રૂમને ઘરનો સૌથી સુંદર ખુણો બનાવશે. પરિવારના બધા સભ્યો અનુપમાને આ કામમાં મદદ કરશે. તો કાવ્યા અને વનરાજ પોતાનો રૂમ શણગારવામાં લાગ્યા હશે, પરંતુ તેને રૂમમાં અનુપમાની કોઈને કોઈ વસ્તુ મળતી રહેશે. જેના પર વનરાજ તેને કહે છે કે વર્ષો સુધી આ રૂમમાં અનુપમા રહી છે. આટલી જલદી વસ્તુ બદલવાની નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube