Sushant Singh Rajput ની છેલ્લી સોશલ મીડિયા પોસ્ટ હતી માતાના નામે, વાંચીને કરોડો આંખોથી છલકાયા આંસુ!

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) પોતાની માતાથી કેટલા નજીક હતા એ તો દરેક લોકો જાણે જ છે.  કહેવામાં આવે છે કે સુશાંતની માતાના ગયા પછી સુશાંત તણાવમાં રહેવા લાગ્યા હતા.
 

Sushant Singh Rajput ની છેલ્લી સોશલ મીડિયા પોસ્ટ હતી માતાના નામે, વાંચીને કરોડો આંખોથી છલકાયા આંસુ!

નવી દિલ્લીઃ બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) આજથી ઠીક એક વર્ષ પહેલાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની પુણ્યતિથિ પર કરોડો ફેન્સ તેમને યાદ કરી રહ્યા છે. દેશની 3 સૌથી મોટી એજન્સી સુશાંતના મૃત્યુનું રહસ્ય જાણવામાં લાગી છે, પરંતુ આજે એક વર્ષ થઈ ગયું હોવા છતા સુશાંતનું મૃત્યુ એક રહસ્ય જ રહી ગયું છે.

શું હતી સુશાંતની છેલ્લી પોસ્ટ:
સુશાંત સિંહને તેમના કામની સાથે સાથે તેમના સ્વભાવના કારણે પણ ખૂબ પસંદ કરવામાં આવતા હતા. એક આઉટસાઈડર જોત જોતામાં આખા દેશના દિલોમાં રાજ કરવા લાગ્યો. સુશાંતની પુણ્યતિથિ પર અમે તમને બતાવા જઈ રહ્યા છે એ પોસ્ટ વિશે કે જે સુશાંતે તેની માતાના નામ પર લખી હતી.

આંસુઓ વિશે લખી આ વાત:
સુશાંત સિંહે પોતાની માતાની પુણ્યતિથિ પર સુશાંતે એક વખત પોતાની માતા માટે પોસ્ટ લખી હતી જેમાં તેમને પોતાનો અને પોતાની માતાનો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટમાં સુશાંતે લખ્યું, 'અસ્પષ્ટ ભૂતકાળ આંસુના ટીપાની જેમ ઉડતો જઈ રહ્યો છે'.

 

લાખો લોકો કરી ચૂક્યા છે લાઈક:
સુશાંતે લખ્યુ, 'ક્યારેય ન પતવાવાળા મારા સપના ચહેરા પર હાસ્યની નાની છબી અંકિત કરે છે. જીવન ભાગતું જઈ રહ્યું છે. આ બન્નેની વચ્ચે હું ભાવતાલ કરવામાં લાગ્યો છું. માં'. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હજુ પણ આ પોસ્ટ  છે.  એક્ટરની આ પોસ્ટને અત્યાર સુધી 5 લાખ 70 હજારથી પણ વધુ યૂજર્સ લાઈક અને શેર કરી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news