નવી દિલ્હી: ટીવી સીરિયલ 'અનુપમા'ના નિર્માતાઓ કહાનીને વધુને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. શોમાં દરરોજ એક નવા વળાંક આવે છે. હવે સમર એ વેલનેસ સેન્ટરમાં જ અનુપમાનું (Rupali Ganguly) નવું ઘર તૈયાર કર્યું છે. સમર (Paras Kalnawat) અને વનરાજ (Sudhanshu Pandey) સિવાય આખું શાહ પરિવાર પણ વેલનેસ સેન્ટરમાં પહોંચી ગયો છે. ડોક્ટર અદ્વૈતના (Apurva Agnihotri) વેલનેસ સેન્ટરમાં પણ હવે બધા રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામે આવશે સત્ય
આ બધા વચ્ચે હજુ સુધી અનુપમાથી (Anupamaa) તમામ પરિવારના સભ્યોએ તેની બીમારીનું સત્ય છુપાવ્યું છે, પરંતુ આ સત્ય વધારે દિવસ છુપાશે નહીં. અનુપમાને બીમારીની ભનક લાગી જશે. આવતા એપિસોડમાં અનુપમાને ડોક્ટર અદ્વૈત બીમારી વિશે તમામ સત્ય જણાવી દેશે. ડોક્ટર અદ્વૈત અનુપમાને કહેશે કે તેને ગર્ભાશયમાં કેન્સર છે. આ સાંભળીને અનુપમા સ્તબ્ધ થઈ જશે.


આ પણ વાંચો:- 'દેખા હૈ પહેલી બાર...' સાજન ફિલ્મનું આ ગીત બનવા પાછળ છે એક રોચક કિસ્સો


રડવા લાગશે અનુપમા
અનુપમા (Anupamaa) વિચારમાં ડૂબી જશે, વિચારી કરવા લાગશે કે કદાચ આ જ કારણે લોકો તેની સંભાળ લઈ રહ્યા છે. અનુપમાને લાગશે કે તેના વગર તેનો પરિવાર તૂટી જશે. પરેશાન થઈ અનુપમા રડવા લાગશે.


આ પણ વાંચો:- કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં લોકપ્રિય ટીવી શો 'અનુપામા'નું થશે શૂટિંગ!


વનરાજ ભડક્યો
આગામી એપિસોડમાં, તે બતાવવામાં આવશે કે અનુપમા (Anupamaa) પરિવારજનોથી પોતાની નારાજગી વ્યક્ત કરશે. તેણી દુ:ખ વ્યક્ત કરશે કે લોકો તેની બીમારી અને મોતની વાત પર પરદો નાખી રહ્યા છે. અનુપમાના મોતની વાત સાંભળીને વનરાજ ગુસ્સે થઈ જશે અને અનુપમાને ઠપકો આપવામાં લાગશે.


આ પણ વાંચો:- Randhir Kapoor ને ICU માં કરાયા શિફ્ટ, જાણો કેવી છે તેમની હેલ્થ સ્થિતિ


વનરાજને લાગ્યો શોક
અગાઉ બતાવવામાં આવ્યું હતું કે અનુપમા (Anupamaa) વનરાજની શોધમાં ડોક્ટર અદ્વૈતના વેલનેસ સેન્ટર પર પહોંચે છે, જ્યાં તેની તબિયત વધુ બગડે છે. આવી સ્થિતિમાં ડોક્ટર અદ્વૈત વનરાજને અનુપમાની બીમારી વિશે જણાવે છે, તે જાણીને કે તેને શોક લાગે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube