નવી દિલ્હીઃ ગાયિકા અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનુ નિધન થઈ ગયું છે. તેઓ 35 વર્ષના હતા. છેલ્લા ઘણા સમયથી આદિત્ય કિડની સંબંધિત બીમારીનો સામનો કરી રહ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. સંગીત જગત માટે આ દુખદ સમાચાર છે. કિડની ફેલ થવાને કારણે આદિત્યનું નિધન થયું છે. આદિત્યના જવાથી પૌડવાલ પરિવાર માટે આ મુશ્કેલ સમય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2020 અનેક રીતે દુખદાયક સાબિત થઈ રહ્યું છે. એક તરફ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. તો એક બાદ એક સેલિબ્રિટી અને દિગ્ગજ પર્સનાલિટીની વિદાય લોકોને નિરાશ કરી રહી છે. હવે ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું 35 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી સિંગર-મ્યૂઝિશિયન શંકર મહાદેવને આપી છે. 


રામાયણના સીતા ઉર્ફે અભિનેત્રી દીપિકા ચિખલીયાના માતાનું નિધન


શંકર મહાદેવને ઇન્સ્ટાગ્રામ પર આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા લખ્યુ- આ ખબર સાંભળીને દિલ તૂટી ગયું. આદિત્ય પૌડવાલ આ દુનિયામાં રહ્યો નથી. મને હજુ પણ આ સમાચાર પર વિશ્વાસ આવી રહ્યો નથી. શું ગજબના સંગીતકાર અને સારા વ્યક્તિ હતા તે. બે દિવસ પહેલા જ મેં એક ગીત ગાયુ હતું જેનું પ્રોગ્રામિંગ તેમણે કર્યું હતું. હવે અચાનક આ સમાચાર મળતા દિલ તૂટી ગયું છે. હું તને ખુબ પ્રેમ કરુ છું ભાઈ, તારી યાદ આવશે. મહત્વનું છે કે પૌડવાલ પરિવાર તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર