નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ((Sushant Singh Rajput) ના મોતની પાછળ શું કારણ હતુ? તેની માહિતી મેળવવા માટે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ન્યાયિક તપાસ કરવાની માગ ઉઠાવી છે. તેમણે પૂર્વાંચલના કલાકારોને સંઘર્ષનું બિગુલ ફૂંકવાની અપીલ કરતા કહ્યુ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રચલિત માફિયાગીરી તથા સિન્ડિકેટને ખતમ કરવી જોઈએ. મુંબઈ પોલીસ પ્રમાણે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી લગાવીને આપઘાત કરવાની માહિતી સામે આવી છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પણ પોલીસને પ્રોફેશનલ રાયવલરીને કારણે ડિપ્રેશનના એન્ગલ પર પણ તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલીવુડમાં થાય છે અહીંના બાળકોનું શોષણ
દુબેએ એક વીડિયો જારી કરી તપાસની માગ કરી છે. તેઓ કહે છે કે, 'હું ખુબ અંદરથી હલી ગયો છું. મન ઉત્તેજિત થાય છે. વિચાર કરી રહ્યો છું કે, કઈ રીતે પૂર્વાંચલ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢના લોકો જેના કારણે આ ઈન્ડસ્ટ્રી ચાલે છે, તેના કોઈ બાળકો મુંબઈ જાય છે તો કઈ રીતે તેને હતોત્સાહિત કરવામાં આવે છે. ત્રાસ આપવામાં આવે છે. તે આત્મહત્યા કરવા કે ભીખ માગવા માટે મજબૂત થાય છે.'


સુશાંતના મોત બાદ અભિનવ કશ્યપે સલમાન ખાન પર સાધ્યું નિશાન, કહ્યુ- મારૂ કરિયર બરબાદ કર્યુ  


ડિપ્રેશનના દાવાની ચાલી રહી છે તપાસ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પ્રમાણે, સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસીથી આત્મહત્યા કરવાની વાત છે. તેમણે મીડિયા રિપોર્ટ્સના હવાલાથી કહ્યુ કે, પ્રોફેશનલ રાયવલરીને કારણે સુશાંત ડિપ્રેશનમાં હોવાની વાત સામે આવી છે. દેશમુખ પ્રમાણે, મુંબઈ પોલીસ આ એન્ગલની તપાસ કરશે. સુશાંતે આ પગલુ ભર્યા બાદ સોશિયલ મીડિયા પર એક મોટી સંખ્યામાં એવા યૂઝર છે જે બોલીવુડમાં જૂથવાદને આ પાછળનું કારણ જણાવી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube