મુંબઈઃ બોલીવુડથી એક દુખના સમાચાર આવ્યા છે. જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું નિધન થઈ ગયું છે. ઘણા સમયથી તેઓ બીમાર હતા. મંગળવારે સમાચાર આવ્યા કે કોલોન ઇન્ફેક્શનને કારણે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા બે મહિનાથી ઇરફાનની તબીયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને નામમાત્રનો સુધાર થઈ રહ્યો હતો. ઇરફાન ખાનનું આમ અચાનક નિધન થતાં બોલીવુડમાં શોકની લહેર દોડી ગઈ છે. ટ્વીટર પર અનેક અભિનેતાઓ, રાજનેતાઓ સહિત તેમના પ્રશંસકો શોક વ્યક્ત કરી રહ્યાં છે.