Aishwarya Rai News: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અને બચ્ચન ખાનદાનની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ચર્ચાનું કારણ છે તે હેલ્થ. જીહાં, એવા અહેવાલો સામે આવ્યાં છેકે, ભયંકર બીમારીમાં સપડાઈ ગઈ છે ઐશ્વર્યા રાય બચ્ચન. અભિષેક સાથેના લગ્નજીવન અને છૂટાછેડાની અફવાહના લીધે પણ લાંબા સમયથી ચર્ચામાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઐશ્વર્યા રાય બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે હંમેશા પોતાના લુક અને સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ઐશ્વર્યાની સ્ટાઈલને લઈને ઘણી ટ્રોલ થઈ રહી છે, ખાસ કરીને તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી ત્યારથી. હવે આ બધી ટ્રોલિંગ વચ્ચે ઐશ્વર્યા રાય વિશે એક મોટો ખુલાસો થયો છે. ઐશ્વર્યા રાય વિશે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાવો કરવામાં આવ્યો છે કે તે એક ગંભીર બીમારીથી પીડિત છે જેના કારણે તેનું વજન વધી રહ્યું છે, તેથી તે વધુ કપડાં પહેરે છે જે તેના શરીરને શક્ય તેટલું છુપાવી શકે છે.


ઐશ્વર્યા રાયને કયો રોગ છે?
ઐશ્વર્યા રાયની બીમારીને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર એક દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે ઐશ્વર્યા ઘણા વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહી છે. આ બીમારી એવી છે કે જેના કારણે તે અન્ય અભિનેત્રીઓની જેમ પોતાના ડાયટને ફોલો કરી શકતી નથી. એટલું જ નહીં વજન ઘટાડવા માટે કોઈપણ પ્રકારની દવાઓ લઈ શકતી નથી.


રેડિટ પોસ્ટ પર આગળ લખવામાં આવ્યું છે કે, 'મારા મિત્રએ બોલિવૂડમાં કામ કર્યું છે અને તેણે કહ્યું કે ઐશ્વર્યા મેડિકલ કંડીશનમાંથી પસાર થઈ રહી છે, જેના વિશે તે કહી શકતી નથી. આ બીમારીને કારણે ઐશ્વર્યા કડક ડાયટ ફોલો કરી શકતી નથી, જેના કારણે તેની હાલત વધી રહી છે અને તે વજન ઘટાડવાની દવાઓ પણ નથી લઈ શકતી. તેના સ્ટાઈલિશ આ માટે જવાબદાર નથી. ઐશ્વર્યાને તેના કપડા માટે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ તેનો એક જ ઉદ્દેશ્ય તેના શરીરને શક્ય તેટલું ઢાંકવાનું છે. જોકે, હજુ સુધી ઐશ્વર્યા રાય કે તેની ટીમ તરફથી તેની મેડિકલ કન્ડિશન અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.