મુંબઈ : આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ફિલ્મમેકર મૃણાલ સેનનું અવસાન થયું છે. તેમનું આજે 95 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. મૃણાલ સેને કોલકાતાના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણી ગંભીર બીમારીઓથી તેઓ પીડાતા હતા. મૃણાલ સેનની ફિલ્મોને અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. આ સિવાય મૃણાલ સેન પર પણ અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બની ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃણાલ સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...