નવી દિલ્હી : બોલિવૂડના બે સુપરસ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન એક દિવસ પછી ઇટાલીના લેક કોમો ખાતે છે. આ લગ્ન 13 અને 14 નવેમ્બરના દિવસે યોજાશે. આ જોડી ભારત આવીને મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન આપવાની છે. આ જોડીએ પોતાના રિસેપ્શન કાર્ડમાં મહેમાનો પાસે એક શરત મૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"189679","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


હકીકતમાં દીપિકા અને રણબીરના લગ્નનું રિસેપ્શન 28 નવેમ્બરના દિવસે મુંબઈમાં થવાનું છે અને એ માટેના આમંત્રણકાર્ડ તમામ મિત્રો અને પરિવારજનો પાસે પહોંચી ગયા છે. આ કાર્ડમાં જોડીએ પોતાના મહેમાનો અપીલ કરી છે કે તેઓ લગ્નમાં કોઈ ગિફ્ટ લઈને ન આવે. જો મહેમાનોને કોઈ ગિફ્ટ આપવી હોય તો 'ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન'ને દાન કરી શકે છે. આ એનજીઓ દીપિકાની છે જે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાનું કામ કરે છે.


EXCLUSIVE : રાખીનો દાવો છે કે તનુશ્રીએ રેસલરને પૈસા આપીને તેની પર કરાવ્યો હુમલો !


બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ જોડીના લગ્ન કોંકણી અને સિંધી રિવાજોથી થશે. આ જ કારણે લગ્ન બે દિવસ ચાલશે. આ સિવાય 13 નવેમ્બરે રણવીર-દીપિકાની સંગીત સેરેમની થશે. 14 તારીખે બંને કોંકણી વિધિથી લગ્ન કરશે અને 15 તારીખે સિંધી રિવાજથી લગ્ન કરશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...