નવી દિલ્હીઃ દીપિકા અને રણવીરના લગ્નમાં અત્યાર સુધીની તમામ ઉજવણીમાં માત્ર તેમના પરિવારજનો અને નજીકના મિત્રો જોવા મળી રહ્યાં હતા. આ જોડી શનિવાર (1 ડિસેમ્બર) બોલીવુડના સિતારો માટે એક ગ્રાન્ડ રિસેપ્શન આપવાના છે, જ્યાં બોલીવુડના લગભગ તમામ મોટા સિતારાની હાજરીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોતાના રિસેપ્શનના એક દિવસ પહેલા આ જોડી પોતાના પરિવારની સાથે ગણપતિ બાપાના દર્શન કરવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, બંન્નેના માતા-પિતા અને બહેનો સાથે હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી એરપોર્ટ પર જોવા મળ્યા કે રિસેપ્શન પર દીપિકા અને રણવીર બંન્ને એક રંગના કપડામાં જોવા મળ્યા છે. આવું શુક્રવારે પણ થયું હતું, જ્યારે આ જોડી ઓફ વાઇટ અને ગોલ્ડન કલરના ડ્રેસમાં જોવા મળી હતી. 

ફોટો - ભાવના મુંજાલ


લગ્ન બાદ દીપવીર પ્રથમવાર અહીં આવ્યા અને પરિવાર સાથે ગણેશજીના આશીર્વાદ લીધા. 



ફોટો - ભાવના મુંજાલ


મહત્વનું છે કે, દીપિકા પાદુકોમ હંમેશા પોતાની ફિલ્મોના રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે જતી હતી. 



ફોટો સાભાર - યોગેન શાહ


મહત્વનું છે કે, દીપિકા અને રણવીરનું છેલ્લું રિસેપ્શન 1 ડિસેમ્બરે મુંબઈમાં યોજાવાનું છે. આ રિસેપ્શનમાં બોલીવુડના ઘણા સિતારાઓને આવવાનું અનુમાન છે. આ રિસેપ્શન માટે કેટરીના કેફ, સલમાન ખાન, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન, રણવીર કપૂર, સેફ અલી ખાન સહિત બોલીવુડના ઘણા કલાકારો સામેલ થવાનું અનુમાન છે.