મુંબઈઃ ભારતીય સિનેમાના સદાબહાર અભિનેતા દેવ આનંદનો(Dev Anand) આજે 97મો જન્મ દિવસ છે. દેવ આનંદનો જન્મ અવિભાજિત ભારતના પંજાબમાં 26 સપ્ટેમ્બર, 1923ના રોજ થયો હતો. દેવ આનંદનું મુળ નામ ધર્મદેવ પિશોરિમલ આનંદ હતું. વર્ષ 2011માં દેવ આનંદનું 88 વર્ષની વયે હૃદયરોગના હુમલામાં લંડન ખાતે નિધન થયું હતું, પરંતુ આજે પણ દેવઆનંદ લોકોમાં એટલા જ લોકપ્રિય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવ આનંદે ખુદને આજીવન યુવાન જ ગણાવ્યા છે. તેઓ હંમેશાં યુવાન અંદાજમાં રહેતા હતા અને એક સ્ટાઈલ આઈકન પણ હતા.આજે તેમના જન્મ દિવસે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે ટ્વીટ કરીને તેમને યાદ કર્યા છે અને તેમની કેટલીક અજાણી વાતો પણ શેર કરી છે. 


સલમાનના પૂર્વ 'બોડીગાર્ડ'ની બબાલ, નશાનો ઓવરડોઝમાં રાહદારીઓ સાથે કરી મારપીટ


ઉલ્લેખનીય છે કે, ભારતીય સિનેમામાં 50-60ના દાયકામાં ત્રણ અભિનેતાઓ (દેવ-રાજ-દિલીપ)નો ડંકો વાગતો હતો, જેમાં રોમાન્સ અને સ્ટાઈલની બાબતે દેવ આનંદની એક આગવી ઓળખ હતી. પોતાની આત્મકથા 'રોમાન્સિંગ વિથ લાઈફ'માં તેમણે લખ્યું છે કે, તેઓ અભિનેત્રી સુરૈયાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરંતુ ધર્મ અલગ હોવાના કારણે તેઓ તેમની સાથે લગ્ન કરી શક્યા ન હતા.


એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...