મુંબઈઃ બોલીવુડના બીગ બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચનનો આજે 80મો જન્મ દિવસ છે. આ ઉંમરે લોકો સામાન્ય રીતે આરામ કરવાનું વિચારે છે, પરંતુ અમિતાભ બચ્ચન હજુ પણ દિવસમાં 16 કલાક કામ કરે છે. તેઓ યુવાનો અને વૃદ્ધો માટે પ્રેરણા સ્ત્રોત છે.તો આવો જાણીએ કે ટેલિવુડથી શરૂઆત કરનાર અમિતાભ બચ્ચન કેવી રીતે બની ગયા બોલીવુડના બીગ બી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંકલાબથી કેવી રીતે બન્યા અમિતાભ-
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942માં અલ્હાબાદમાં થયો હતો. તેમા પિતા હરિવંશ રાય બચ્ચન જાણીતા કવિ હતા. જ્યારે તેમની માતાનું નામ તેજી બચ્ચન છે. જે હરિવંશ રાય બચ્ચનના બીજા પત્ની હતા. અમિતાભ બચ્ચના એક નાના ભાઈ પણ છે જેમનું નામ અજિતાભ બચ્ચન છે. એવું કહેવાય છે અમિતાભ બચ્ચનનું નામ ઈંકલાબ હતું. પરંતુ હરિવંશ રાય બચ્ચનના મિત્ર અને કવિ સુમિત્રાનંદ પંતે તેમને અમિતાભ નામ આપ્યું. 


પહેલી ફિલ્મ જ રહી ફ્લોપ-
અમિતાભ બચ્ચને વર્ષ 1969માં ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. તેમની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી. જે ફલ્પો રહી હતી. લાંબી નિષ્ફળતા બાદ અમિતાભ બચ્ચને ફિલ્મ ઝંઝીરમાં કામ કર્યું. જ્યાંથી તેમણે બોલીવુડમાં ખુબ જ નામના મેળવી. ત્યાર બાદથી અમિતાભ બચ્ચેને પાછું વળીને નથી જોયું. 


નાના પડદા પર કેવી રીતે આવ્યા અમિતાભ બચ્ચન?
બોલીવુડના બીગ બી માટે 1990નું દશકો ખુબ જ ખરાબ સાબીત થયો હતો. અનેક ફ્લોપ ફિલ્મોથી તેમના કરિયર પર સવાલ ઉઠ્યા હતા. જેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગયા હતા. ત્યારે વર્ષ 2000માં ટીવી શો કૌન બનેગા કરોડપતિને હોસ્ટ કરવાની ઓફર મળી હતી. જેને અમિતાભે સ્વીકારી અને ટીવીના પડદા પર પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.


અમિતાભ બચ્ચનની કારકિર્દી શરૂ થાય તે પહેલાં કેવી રીતે સમાપ્ત થઈ?
રેલવે સ્ટેશન પર કામ કરતા કુલીઓના સંઘર્ષમય જીવન પર આધારિત ફિલ્મ કુલીના શૂટિંગમાં અમિતાભ બચ્ચનને  ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેમનો જીવ જતા જતા બચ્યો હતો. પરંતુ તેઓ જલદી સ્વસ્થ થાય તેના માટે ફેન્સ રાત દિવસ પ્રાર્થના કરવા લાગ્યા હતા. જેના પરિણામે તેઓ સ્વસ્થ થયા અને ફરી કામ કરવા લાગ્યા હતા. પરંતુ એક સમયે ઈજાના લીધે એવું લાગતું હતું કે હવે અમિતાભ ફરી ફિલ્મી પડદે નહીં જોવા મળે.


અમિતાભ બચ્ચનને મળ્યા છે અસંખ્ય એવોર્ડ-
અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટર તરીકે લગભગ 3 વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. આ સિવાય તેને 14થી વધુ વખત ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. અમિતાભ બચ્ચન હીરો હોવા ઉપરાંત એક મહાન ગાયક પણ છે. ફિલ્મ જગતમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube