બોલીવુડ ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાની જગ્યાએ વધી રહી છે. કાલે જામીન અરજી પર સુનાવણી થઈ. જેમાં ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો. જેના કારણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હજુ જેલમાં 6 દિવસ પસાર કરવા  પડશે. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટે સતત બે દિવસ સુનાવણી કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે. આ વાયરલ ખબરમાં દાવો કરાઈ રહ્યો છે કે આર્યન ખાનને એનસીબી અધિકારી સમીર વાનખેડેએ જેલની અંદર 2 થપ્પડ માર્યા હતા. એ પણ ત્યારે જ્યારે તે તેના પિતા અને બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. વાયરલ રિપોર્ટ મુજબ દાવો થઈ રહ્યો છે કે સમીર વાનખેડેએ આ પગલું શાહરૂખ ખાનને સંભળાવવા માટે ઉઠાવ્યું હતું અને તેમણે સુપરસ્ટારને ચેતવતા કહ્યું કે આ તેમણે પહેલા કરવું જોઈતું હતું. જેથી કરીને તેમનો પુત્ર આર્યન ડ્રગનો આદી અને બગડેલું સંતાન ન બનત. આ વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટ તમે અહીં જોઈ શકો છો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube