મુંબઈઃ Celebs Har Ghar Tiranga Campaign: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આ દિવસોમાં પોતાની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા' (Laal Singh Chaddha) ને લઈને ખુબ ચર્ચામાં છે. 11 ઓગસ્ટે અભિનેતાની ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ વચ્ચે અભિનેતા અન્ય કારણને લીધે ચર્ચામાં આવી ગયા છે. આમિર ખાનને લહેવામાં આવી રહ્યું છે કે તે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા' અભિયાનનું સમર્થન કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સોશિયલ મીડિયા પર આમિર ખાનની એક તસવીર સામે આવી છે, જેમાં આમિર પોતાની પુત્રી ઇરાન ખાનની સાથે પોતાની બાલકનીમાં ઉભેલો છે. કાસ વાત છે કે આ તસવીર તેની બાલકનીની રેલિંગની છે, જ્યાં ભારતીય તિરંગો બાંધેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર વાયરલ થતાં કહેવામાં આવ્યું કે આમિર ખાન હર ઘર તિરંગા અભિયાનનું સમર્થન કરી રહ્યાં છે. સામે આવેલી તસવીરને લઈને લોકો આમિરની પ્રશંસા કરી રહ્યાં છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube